SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ અંત વગરનું... શાશ્વત... કાયમ રહેનાર સુખ થયું ખરૂં ? પૂર્ણ - પરિપૂર્ણ સુખ મેળવવું છે. સાથે પરમાનંદની પ્રાપ્તિ પણ ખરી જ. વૈષયિક સુખો-તૃષ્ણાજન્ય સુખો જે તુચ્છ સુખો છે તેને સમાપ્ત કરવાના છે. પૂર્વકાળના મહર્ષિઓએ પોતાના રાજ્ય સુખો-સમૃદ્ધિઓ રાજરાણી-વૈભવ આદિનો ત્યાગ કરી શાશ્વત માર્ગની આરાધના કરી હતી. મદ અને મદન પ્રત્યે તીવ્ર અભાવ કેળવ્યો હતો. કેમકે : ૧૯ મેળવવા મન તૈયાર “મદ અને મદનની સામે બાથ ભીડે તે મરદ” આવી મરદાનગી અધ્યાત્મ જ્ઞાન વગર શક્ય બનતી નથી કેમકે આત્મજ્ઞાન ન હોય તો મોક્ષ ફક્ત નામ પૂરતું જ થઈ જાય. માટે મોક્ષ સ્વરૂપને જાણવાની જરૂર છે. માટે મોક્ષ શું છે ? મોક્ષમાં શું છે ! મોક્ષથી શું મળે ઈત્યાદિ જાણવાની કોશિષ કરવી. અને મોક્ષ મેળવવા માટે તત્પર બનવાનું છે. સંસારથી કંટાળો અને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા.... જીવન શાન્તસુધારસમય બનાવે છે. ઉપાધ્યાયજી મ. કહે છે કે સુબુદ્ધિવાનો હવે તમે શુભ ભાવનાના અમૃતરસથી બનેલ મારો આ શાન્તસુધારસ ગ્રન્થ સાંભળો... આ ગ્રન્થ સાંભળવા માટે આપણે યોગ્ય બનીએ સજ્જ બનીએ, તત્ત્પર બનીએ..... सुमनसो मनसि श्रुत पावना निदधतां द्वयधिकादश भावना : । यदिह रोहति मोह तिरोहिता- द् भूत गतिर्विदिता समतालता ॥ ४ ॥ હે સુંદર મનવાળા, સાંભળવા માત્રથી અંત:કરણને પાવન કરનાર ૧૨ (૪યધિકા દશ) ભાવનાને તમારા મનમાં ધારણ કરો... સ્થાપો. એનાથી અદ્ભુત લાભ એ હશે કે મોહ વડે ઢંકાયેલ સમતારૂપી લતા પુન: પ્લાવિત યશે. || ૪ || આ શ્લોકમાં શ્રોતાઓને સુમન-એટલે પવિત્ર મન વાળા કહ્યા છે. એટલે પવિત્ર મન દ્વારા આપણે પાવન બનવાનું છે. શાન્તસુધારસ સાંભળવા માટે મન નિર્મળ જોઈએ. આડીઅવળી વિકથાઓ સાંભળવાની નથી પણ
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy