SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭. શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ બઈ પરાયું છે! આત્મ સ્વભાવને ભૂલીને જીવ... અર્થ-કામ-કુટુંબ અને શરીર માટે ખૂબ જ પ્રયત્ન કરે છે. પોતાને ઈષ્ટ એવા પદાર્થો મેળવવા માટે ભરપુર પ્રયત્નો કરે છે. રાત દિવસ મહેનત-મજુરી કરી છે. એ પદાર્થો મળતાં જ તારી ખુશીનો કોઈ પાર રહેતો નથી. ન મળે તો તને ઉદાસી ઘેરી વળે છે. મળ્યા પછી જતાં રહે તો તું શોકમગ્ન બની જાય વ્યાકૂળ બની જાય. પદાર્થો મળતાં પાગલની જેમ નાચવા માંડે છે. ઉપાધ્યાયવિનયવિજયજી મહારાજ જણાવે છે કે તું જેના માટે આટલો ગર્વ કરે છે તેમાં તારું પોતાનું શું? એનો તો વિચાર કર. શું આપણું અને શું પરાયું તે સમજી લેવાની જરૂર છે. અનંતા જન્મોમાં આપણે સમજી શક્યા નથી કે આપણી સાથે શું આવશે? સંસારના તમામ પદાર્થો અને તમામ સંબંધો સ્વાર્થના સગા છે. જુઓ.. ચાર દિવસો મહી સો સલામ કરી ગળી જાય છે. માઠા દિવસો મહીં એજ સામે ધૂકી જાય છે. કોણ કહે છે કે પડછાયો સાથ ન છોડે કોઇ તિ અંધારે પડછાયો પણ સાથ છોડી જાય છે. માટે જ જે પરાયું છે તેને સમજી લેવાની જરૂર છે. જ્યાં સુધી તમે બહારની દુનિયામાં જોતા રહેશો ત્યાં સુધી ભય શોક રોગવિગેરે તમને પરેશાન કરશે જ. અંદરની દુનિયામાં તમારે ડોકીયું કરીને જોવાની જરૂર છે. પૌદ્ગલિક મોહ અને મૂચ્છને તેમજ ભૌતિકલાગણીઓને દૂર કરવા માટે આત્માને ઓળખવો પડશે. આત્માને ઓળખ્યા પછી વિષયો અને વિકારોને દૂર કરવા પડશે. કદીક તો તું વિચાર કર... સુખડના ટુકડા ઘસી નાંખ્યા માળાના પારા ઘસી નાખ્યાં કટાસણા ઘસી નાખ્યાં. ચરવળાની દાંડી ઘસી નાંખી ઉપાશ્રયના પગથીયા ઘસી નાંખ્યા
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy