SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુસંગ્રહણી પ્રશ્ન : ૨૩૪. પાંચમુ વલય ક્યાં આવેલું છે? તેમાં કમળો કેટલા છે? અને તે કેટલા માપના હોય છે? ૩૩ ઉત્તર : આ ચોથા વલયથી કાંઇક દૂર પાંચમુ વલય આવેલું છે તેમાં ૪૦ લાખ કમળો હોય છે તે પૂર્વના વલયના કમળનાં માપ કરતાં અડધા માપના હોય છે. પ્રશ્ન : ૨૩૫. આ કમળો ઉપર કોનો વાસ હોય છે? ઉત્તર : આ ૪૦ લાખ કમળો મધ્યમ પ્રકારના આભિયોગિક સેવકો માટેનાં છે. પ્રશ્ન : ૨૩૬. પાંચમા વલય બાદ છઠ્ઠા વલયમાં કમળો કેટલા છે? છઠ્ઠું વલય ક્યાં આવેલું હોય છે? અને તેનું માપ શું છે? ઉત્તર : પાંચમા વલય બાદ કાંઇક દૂર છઠ્ઠું વલય આવેલું છે તેમાં ૪૮ લાખ કમળો હોય છે તે પૂર્વના માપના કમળો કરતાં અડધા માપના હોય છે. પ્રશ્ન : ૨૩૦. છઠ્ઠા વલયના કમળો કોના માટેના હોય છે? ઉત્તર ઃ : આ કમળો હલકાં કામ કરનારા આભિયોગિક દેવોનાં હોય છે. પ્રશ્ન : ૨૩૮. દરેક વલય કમળો શેનાથી યુક્ત હોય છે? તથા વલયો કેટલા માપના હોય છે? યુક્ત હોય ઉત્તર ઃ દરેક વલયના કમળો મણીપીઠીકા, કર્ણિકા અને ભવનોથી છે. દરેક વલયોના એકએકથી અડધા માપનાં હોય છે. પ્રશ્ન : ૨૩૯. મૂખ્ય કમળ સાથે ગણતાં કુલ કેટલા કમળો થાય છે? ઉત્તર ઃ મુખ્ય કમળ સાથે સર્વ કમળો ૧,૨૦,૫૦,૧૨૦ (એક કરોડ વીશ લાખ પચ્ચાસ હજાર એકસો વીસ) સંખ્યા થાય છે. પ્રશ્ન : ૨૪૦. મુખ્ય કમળ પાણીથી કેટલે ઉંચે હોય છે.? ઉત્તર ઃ મુખ્ય કમળ પાણીથી બે ગાઉ ઉપર હોય છે. પ્રશ્ન ઃ ૨૪૧. શ્રીદેવીની જેમ કઈ કઈ દેવીઓનું વર્ણન સરખું હોય છે? વિશેષ શું હોય છે? ઉત્તર : શ્રીદેવીની જેમ બાકીની પાંચ દેવીઓનું લક્ષ્મીદેવી, ડ્રીદેવી, બુદ્ધિદેવી, ધીદેવી અને કીર્તીદેવીનું પણ વર્ણન સરખું હોય છે તેમાં જે વિશેષ હોય છે તેનું વર્ણન જણાવાય છે.
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy