SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ન લાગે. ચંડ કોશિયાનો જીવ શિષ્યને મારવા ગયો. મારી ન શક્યો પણ પોતે મર્યો. તાપસ રાજકુમારને મરાવા ગયો. માર્યા નથી છતાં ખાડામાં પડી મરી ગયો. અહીં હિંસા નથી, દુર્ગતિ યોગથી નથી. છતાં પરિણતિ કષાયની થઈ તેથી કર્મબંધ થયો. માટે યોગ કરતાં કષાયમાં કર્મબંધ વધારે. ક્યાય ક્રતા અવિરતિ ખતરનાક. કષાય કરતાં અવિરતિમાં વધારે કર્મબંધ છે. કષાય ટાળવાનો ખપ આવ્યો છે પણ અવિરતિ ટાળવાનો હજુ વિચાર આવતો નથી. દારૂડિયાને અફીણ છોડવાની વાત આકરી પડે છે. તેથી અવિરતિનું પાપ લાગે છે તે આકરું પડે છે. એકેન્દ્રિય અને નિગોદનું થાળું કષાયથી પૂરાયેલું નથી. નારકીનું થાળું કષાયથી પૂરાયેલું છે. એકેન્દ્રિય વિકસેન્દ્રિય અસંશી પંચેન્દ્રિયનું થાળું કષાયથી પૂરાયેલું નથી. તેઓને અસંજ્ઞીથી ઓછા કષાય છે. અવિરતિ કર્મબંધ કરનાર છે- એ જૈનો જ માની શકે. અવિરતિનું કર્મ માને તેને જ વિરતિ કરવાનો હક છે. દવાખાનામાં જવું કોને? દરદના સંબંધવાળાને. અવિરતિ ને દરદ માને તેનું મન વિરતિ દવાખાનામાં દાખલ થવાનું. બીજાઓને અવિરતિનું દરદ માનવામાં અડચણ શી? વિરતિના દવાખાનામાં બધાને આવવું છે. કોઈ યમ, કોઈ નિયમ, કોઈ શિક્ષાવ્રતને નામે, કોઈ વ્રત તો કોઈ મહાવ્રતના નામે. અવિરતિમાંથી વિરતિમાં બધાને આવવું છે. પણ જૈનો જ બોલી શકે કે વિરતિ દવાખાનામાં દાખલ થવું છે. પણ વિરતિનું દવાખાનું સાંભળ્યું નથી. પચ્ચકખાણ કરો છો? કોઈ નોકારશી, કોઈ જીવ હિંસાના, બીજાના. એજ વિરતિનું દવાખાનું છે. હવે વિરતિના દવાખાનામાં કયા રૂપે દાખલ થવાય તે અધિકાર અગ્રે વર્તમાન. હે કારિત પ્રભુ ! આ સંસારસમુદ્રમાં મારા પ્રત્યે તારવું ડુબાડવું એ બે વિરુદ્ધ કાર્યો કેમ કરો છો ? પરંતુ આ સાચી જ વાત છે કે પાટલે ચોગ્ય ફળ મળે છે. અર્થાત આરાધક તરે છે વિરાધક ડૂબે છે. FACE કારણો
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy