SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નહતો. શા માટે ઘોર તપસ્યા કરી? અરે અવળો સવાલ ક્યાં કરે છે? શરીરે સુંદર તો ઘરેણાંની શી જરૂર? માટે ઘરેણાં કાઢી નાંખો એમ અક્કલવાલો ન કહે. ખરી સુંદરતા ઘરેણા સહિત. સુંદરતા વિચિત્ર છે. શરીર સુંદરવાળાને ઘરેણાંની સુંદરતાની જરૂર છે. જેમ ત્યાં સુંદરતા વધે છે તેમ આપણે નુરીયા જમાલીયામાં છીએ પણ જન્મથી ત્રણ જ્ઞાનવાળા, ઈન્દ્રાદિકથી પૂજાયેલા, મોક્ષ માટે નિર્ણય છે તેવાને પણ તપસ્યા કરવી પડે છે તો શરીરે સુંદરતા ન હોય તેણે ઘરેણાં પહેરવા પડે તેમાં નવાઈ શી? તીર્થંકર મહારાજાને મોક્ષે જવાનો નિર્ણય હતો તેવા પણ કર્મક્ષય માટે તપસ્યાનો ઉદ્યમ કરે તો આપણે કર્મનો ક્ષય કરવો છે ને તપસ્યા નથી કરવી? લાડુ જમવા તૈયાર થાય છે તો લાંઘણ વખતે કકળાટ માનવો છે? તપસ્યા કર્મ ક્ષય કરનારી ચીજ છે. તેથી તીર્થકરો સ્વતંત્ર તપસ્યા કરે. બીજાના આલંબનથી નહીં. અસંખ્યાત કેવળીઓ તીર્થકરના આલંબનથી કેવળીઓ બને. તીર્થકર કેવળીઓ સ્વયં કેવળી બને. તેઓ ગુણવાળી દશામાં મનાય શાથી? બીજા કાકડામાં કારણ બન્યા તેથી. આખા શાસનને શાસનરૂપી દીવો અર્પણ કર્યો. તેમાં પાપ, આશ્રવ અને બંધ એ ત્રણ વસ્તુઓ છોડવા લાયક-તે અવિરતિ રોકાઈ તો સંવર થવાનો. પુન્ય, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર આદરવાલાયક તો પછી બંધમાં જોર નહીં રહે. નિર્જરા તડાકા બંધ થવાની. ચારનું સાધન અવિરતિ રોકવી. તેને માટે પ્રત્યાખ્યાનના સ્વરૂપ જણાવાશે. એ કેવી રીતે? તે અધિકાર અગ્રે વર્તમાન. હે વિભૂ! શાત્ત એવાં તમારાં બે વેત્રો, તારા પ્રમાણ પર્યકારતે રહેલી તમારી સુંદર રાકૃતિ જોઈને મારા કાને શાંતિ થઈ. ૧૦૪ R u lt. His list :: _*રી પર |
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy