SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ રોકાય' એ સિધ્ધાંત હોવાથી જૈનો એ સિધ્ધાંત બનાવનાર નહીં, પણ બતાવનાર તરીકે જિનેશ્વર દેવ માન્યા છે. તીર્થકરે ધર્મ અધર્મનું સ્વરૂપ બતાવ્યું. આંખ ન હોય ને ખાડામાં પડે તે બિચારો. આંખ અને દીવો બે હોય તો ખાડામાં પડે તો તે બેવકૂફ. તેમ આપણે જિનેશ્વરના વચન સાંભળ્યા ન હતા, પાપ ઓળખ્યું નહતું, ત્યાં સુધી આપણે બિચારામાં હતા. હવે તો જિનેશ્વરના વાક્યો સાંભળ્યા છે. માટે શાસ્ત્રકાર ભગવંતે કહ્યું કે એક જ વાત સમજી લ્યો, એક જ કારણથી – અવિરતિથી-આશ્રવથી આપણે સંસારમાં રખડીએ છીએ. અવિરતિ બંધ કરીએ તે જ પચ્ચખાણ. હવે તે પચ્ચકખાણ કેમ થાય? તે અધિકાર અગ્રે વર્તમાન. જીવો ઇન્દ્રિયગમ્ય એવા સ્પર્શ વગેરેથી રહિત માનવામાં આવેલા છે. આથી સર્વજ્ઞતે તે પ્રત્યક્ષ છે. તેથી સર્વજ્ઞ સિવાય બીજાઓ કેવી રીતે તત્ત્વોને કહે ? અર્થાત અન્ય દેવો કહેવા સમર્થ નથી - અષ્ટકપણ ૮૦)
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy