SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [ તત્ત્વતરં૦ ક્ષયની માફક તેના ક્ષયને પાછળની કલ્યાણકતિથિમાં સમાવી દેશે ?” આ પ્રશ્નને ઉત્તર આપતાં શાસ્ત્રકાર જણાવે છે કે -બેશક છે. એમાં પૂછવાનું જ શું છે? પુનમના ક્ષયે પુનમ ચૌદશામાં હતી કે નહિ ? તેજ પ્રમાણે ધરે કે-બે કલ્યાણક તિથિઓ સાથે છે તેમાં બીજી તિથિને ક્ષય થએલે છે, એટલે શું તે તિથિ જ નથી? ના, તિથિ તે છે પણ તે પાછલી તિથિમાં આવી ગઈ છે. તે પછી બસ. એક જ દિવસે બને તિથિઓ હોવાથી અમારે બન્ને તિથિઓનું આરાધન થઈ જાય છે, એમાં તમે અમને આપત્તિ શી આપ છો? આવા પ્રસંગે ય અમને તો આપત્તિ નથી પણ તમારે મહા પંચાત છે ! કેમકે-સાથે આવેલી બે-ત્રણ કલ્યાણક તિથિઓમાં બીજીને ક્ષય હેય કે પહેલીને ક્ષય હેય, તોયે તમારે તે આકાશ સામે જ જેવું પડશે. પાછળની તિથિ લેવા જશે તે તમારાથી ચૌદશના ક્ષયે પુનમે પકિખ નહિ કરાય અને આગળની લેવા જશે તે આઠમના ક્ષયે સાતમ નહિ કરાય. આમ બને બાજુથી તમારે બંધાવાનું છે. જુદે તપ કરાય છતાં તિથિ જુદી ન કરાય. પણ સાથે આવેલી કલ્યાણકતિથિઓમાં આગલી ક્ષીણતિથિને જ્યારે તમે પાછળની તિથિમાં સમાવો છે, ત્યારે તેને તપ કેમ બીજા દિવસે અથવા આગળ ઉપર આવતી તેજ કલ્યાણક તિથિએ જુદો કરી અપાય છે?”—આ પ્રશ્નને ઉત્તર એ છે કે-કલ્યાણકતિથિને આરાધક પ્રાયઃ કરીને તપશ્ચર્યા વિશેષ કરવાના નિયમવાળો હોય છે. તે બે પ્રકારના હોય છે. (૧) એક તે આંતર રહિત તેનો તપ કરી આપનાર અને (૨) બીજો અતિરે તપ પૂરે કરી આપનાર. પહેલો માણસ એક જ દિવસમાં બે કલ્યાણકતિથિઓ હોવાથી, તે બંનેને આરાધક થવા છતાં બીજે દિવસ લઈને તેનો તપ પૂરે
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy