SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ | [ તવતરે શું દેષ છે?' કેમકે-શ્રી તીર્થંકર મહારાજ શિવાય બીજાઓને માટે તે તેમની આજ્ઞા જ વિધેય છે પણ તેમનું કૃત્ય વિધેય નથી નહિ તે ભગવાન રજોહરણ નહતા રાખતા, મુહપત્તિ નહતા રાખતા, પ્રતિકમણ કે પડિલેહણ આદિ ક્રિયા નહોતા કરતા, એટલે તમારે પણ રજોહરણ આદિ છોડી દેવું પડશે. માટે તેમની આજ્ઞાને જ પ્રમાણ રૂપે રવીકારવી જોઈએ, પણ તેમના કૃત્યને પણ પ્રમાણ માનીને તેમણે કર્યું તેમ કરવાની ઘેલછા નહિ કરવી જોઈએ. ઉત્સાહપ્રેરકતા. શ્રી આચારાંગાદિ શાસ્ત્રમાં જ્યાં “ભગવાને અમુક કર્યું તે તમારે પણ કરવું જોઈએ ઈત્યાદિ મતલબનાં વા આવે છે તે આરાધક આત્માઓને ઉત્સાહ જગાડવા માટે કહેલાં છે; પણ “અનુકરણ કરવું તે ધર્મ છે એમ બતાવવા માટે નથી કહ્યાં : કારણ કે સિદ્ધાંત તે “માઘ ધામો” “ભગવાનની આજ્ઞા વડે જ ધર્મ છે, એ જ સર્વ શાસ્ત્રોમાં સ્વીકારાયેલું છે. એટલા જ માટે નિશીથ કે જે શ્રી આચારાંગનું જ એક “પ્રકલ્પ” નામનું અધ્યયન છે, તેમાં આજ્ઞાભંગનું પ્રાયશ્ચિત્ત વધારે જણાવવામાં ૧૦૫-“વદે દુતો, વંદુ આપ હતો ! आणाए चिय चरणं, तभंगे किं न भग्गं तु ॥ (નિરીથમાણ ૨ ૩રા, ના. ૪૪) ભાવાર્થ-“અપરાધમાં લઘુપ્રાયશ્ચિત્ત આપે છે અને આજ્ઞાની વિરાધનામાં ગુરુપ્રાયશ્ચિત્ત આપે છે, તેનું કારણ શું ?—એવો શિષ્યને ગુરુ પ્રત્યે પ્રશ્ન છે. આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે ચારિત્ર આજ્ઞા વડેજ છે. આજ્ઞાને ભંગ થતાં શાને ભંગ થત નથી ? અર્થાત બધાનો થાય છે.”
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy