SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ પાઠચર્ચા: ‘તેને ૩વતાઃ' એવો પદચ્છેદ કરીએ તો તેન’ શબ્દનો સંબંધ પાછલા શ્લોકમાંના અનુમાન સાથે જોડી શકાય. “સંજ્ઞા, સામાન્ય વગેરે અનુમાન વડે કહેવાયા છે” એવો અર્થ નીકળે. તે ન ડક્તા:' એવો પાઠ કલ્પીએ તો “સંજ્ઞા, સામાન્ય વગેરે અહીં–આ કાત્રિશિકામાં (અથવા આજીવિક મતના ગ્રંથમાં) કહેવાયા નથી, તેમનો નિર્ણય વ્યવહારથી કરવો' એવો અર્થ નિષ્પન્ન થાય. न नाम तत्त्वमेवैत-न्मिथ्यात्वापरबुद्धयः । न वार्थप्रतिषेधेन न सिद्धार्थश्व कथ्यते ॥३२॥ अन्वयः एतत् नाम तत्त्वंएव [इति]मिथ्यात्वापरबुद्धयः न [कार्याः],न वा अर्थप्रतिषेधेन [, સિદ્ધાર્થ ધ્યતા અર્થ: “આ (-ધાર્નાિશિકામાં જે કહેવાયું છે તે-) ખરેખર તત્ત્વ જ છે” એમ (–સમજીને–), મિથ્યાત્વ અથવા સમ્યકત્વની બુદ્ધિ કરવી નહિ. (જે અહીં કહેવાય છે તે-) અર્થનો વિરોધ કરવા માટે પણ નથી કહેવાતું, તેમ તે સાબીત થયેલી વાત છે એ રીતે પણ નથી કહેવાતું. વિવરણ : દિવાકરજીએ નિયતિવાદી આજીવિકોના સિદ્ધાંતોનું સંકલન આ દ્વાર્નાિશિકામાં કર્યું છે તે સાથે એ સિદ્ધાંતોના સમર્થનમાં આજીવિકોએ પ્રયોજેલા તર્કો પણ સબળ સ્વરૂપમાં આપ્યા છે. એ વિધાનો કે તર્કો તેઓ પોતાના તરફથી નથી આપી રહ્યા, પણ નિયતિવાદના સારરૂપે આપી રહ્યા છે એવી સ્પષ્ટતા આ અંતિમ શ્લોકમાં કરવી તેમને જરૂરી લાગી છે. આ કૃતિ નિયતિવાદના નિરસન માટે કે સમર્થન માટે નથી, માત્ર પરિચય માટે છે, તેથી સાચા કે ખોટાની ચર્ચા આમાં નથી એવી ચોખવટ પણ દિવાકરજી કરે છે. આજીવિકોના તર્કોને બળવાન રૂપમાં દિવાકરજી રજૂ કરી શક્યા, કારણ કે એ તર્કોને છિન્ન ભિન્ન કરવાનું સામર્થ્ય તેમની પાસે છે. આજીવિકમતનું નિરસન પણ તેમણે કર્યું જ હશે પણ તે કાળની ગર્તામાં વિલીન થઈ ગયું હશે. પ્રસ્તુત દ્રાવિંશિકામાં આજીવિકા મતનું ખંડન આપણને
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy