SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ - હતા એવું આ શ્લોક સૂચવી જાય છે. આ તથ્ય બહુ સ્પષ્ટ શબ્દોમાં અહીં રજૂ થયું છે. ઈન્દ્રિયો, વિષયો, તેમનો બોધ- આ બધું જ ક્ષણભંગુર છે, આત્મા જેવો કોઈ પદાર્થ છે નહિ, ચૈતન્ય પણ એક ભૌતિક પદાર્થ છે અને તે નાશવંત છે. રાગ-દ્વેષ વગેરે ભાવો એ ચિત્તની ક્રિયા છે, બોધના જ અલગ અલગ રૂપો છે, અને બોધ તો ભંગુર છે. આ પરિસ્થિતિમાં રાગદ્વેષની શાંતિ માટે પ્રયાસ કરવાનો શો અર્થ છે? રાગ-દ્વેષથી મુક્તિ મળે પણ શી રીતે? અને મુક્ત થાય પણ કોણ? कर्मजः प्रत्ययो नाम कर्म च प्रत्ययात्मकम् । તત્તનિયા(?) - સ સર્વત્ર વિસ્મૃતેઃ III अन्वयः प्रत्ययः कर्मजः नाम; कर्मच प्रत्ययात्मकं,तत्फलंच निरयाद्यः,स सर्वत्र न, विस्मृतेः। અર્થ: ઈન્દ્રિયાનુભવ કર્મ થકી થાય છે, અને કર્મ ઈન્દ્રિયાનુભવના કારણે ઉદ્ભવે છે. ઈન્દ્રિયાનુભવનું ફળ નરકાદિ(?) છે, પણ તે દરેક વખતે નથી હોતું, વિસ્મૃતિના કારણે ફળ ઘણીવાર નથી પણ આવતું. વિવરણ : નિયતિવાદી કહે છે કે જ્ઞાનને પુરુષાર્થજન્ય માનનારાના મતમાં વિસંગતિ છે, અને તેમાં અન્યોન્યાશ્રય નામે દોષ પણ છે. આત્મવાદી ઈન્દ્રિયો દ્વારા થતા બોધમાં પ્રારબ્ધની પણ જરૂર માને છે, બીજી બાજુ પ્રારબ્ધના ઉપાર્જનમાં ઈન્દ્રિય પ્રત્યયને (=ઈન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનને) નિમિત્ત ગણે છે. કર્મ હોય તો પ્રત્યય થાય અને પ્રત્યય હોય તો કર્મ થાય - આ અન્યોન્યાશ્રય દોષ છે. શ્લોકના ઉત્તરાર્ધમાં થોડો ગૂંચવાડો છે. ઉપલબ્ધ પાઠનો અર્થ ‘પ્રત્યયનું ફળ નરકાદિ છે અને તે સદા હોતું નથી, કેમકે વિસ્મૃતિ થાય તો ફળ નથી પણ આવતું એવો થાય છે, કિંતુ નરકનો સંબંધ પ્રસ્તુત ચર્ચા સાથે બેસતો નથી. ચર્ચાનો સંદર્ભ જોતાં અહીં “નિર્ણય-નિશ્ચય' અર્થવાચક કોઈ શબ્દ હોવો જોઈએ, અને એમ હોવાનું ધારી લઈએ તો નીચે પ્રમાણે અર્થસંગતિ
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy