SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ((૧૮) અઢારમી છબીશી) ૧૫ પ્રકારના યોગોને કહે ૧૫ પ્રકારની સંજ્ઞાઓને કહે ૩ ગારવોનો ત્યાગ કરે ૩ શલ્યોને વર્ષે કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. જી ૧૫ પ્રકારના યોગ જ • ૪ પ્રકારના મનોયોગ - (૧) સત્ય મનોયોગ :- જીવ છે, સદસત્ છે, દેહમાત્રવ્યાપી છે વગેરે વસ્તુના સાચા સ્વરૂપને વિચારવું તે સત્ય મનોયોગ. (૨) અસત્ય મનોયોગ :- જીવ નથી, જીવ સર્વવ્યાપી છે વગેરે વસ્તુના સાચા સ્વરૂપથી વિપરીત વિચારવું તે અસત્ય મનોયોગ. સત્યાસત્ય મનોયોગ :- ઘવ, ખદિર, પલાશ, અશોક વગેરે વૃક્ષોવાળા વન માટે આ અશોકવન છે એમ વિચારવું તે સત્યાસત્ય મનોયોગ. (૪) અસત્યઅમૃષા મનોયોગ :- “હે દેવદત્ત ! ઘડો લાવ, ધર્મ કર.” વગેરે આમંત્રણ, સમજાવવા વગેરે રૂપ વિચારવું તે અસત્યઅમૃષા મનોયોગ. • ૪ પ્રકારના વચનયોગ - (૧) સત્ય વચનયોગ :- જીવ છે, સદસત્ છે, દેહમાત્રવ્યાપી છે વગેરે વસ્તુના સાચા સ્વરૂપને કહેવું તે સત્ય વચનયોગ. (૨) અસત્ય વચનયોગ :- જીવ નથી, જીવ સર્વવ્યાપી છે વગેરે વસ્તુના સાચા સ્વરૂપથી વિપરીત કહેવું તે અસત્ય વચનયોગ. સત્યાસત્ય વચનયોગ :- ઘવ, ખદિર, પલાશ, અશોક વગેરે વૃક્ષોવાળા વન માટે આ અશોકવન છે એમ કહેવું તે સત્યાસત્ય વચનયોગ. ૧૫ પ્રકારના યોગ ૮૧..
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy