SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ચોથી છત્રીશી ૬ પ્રકારના વચનના દોષોના પરમાર્થને જાણનારા ૬ પ્રકારની લેશ્યાઓના પરમાર્થને જાણનારા ૬ પ્રકારના આવશ્યકોના પરમાર્થને જાણનારા ૬ પ્રકારના દ્રવ્યોના પરમાર્થને જાણનારા ૬ પ્રકારના તર્કોના પરમાર્થને જાણનારા ૬ પ્રકારની ભાષાના પરમાર્થને જાણનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. છ ૬ પ્રકારના વચનના દોષો બ (૧) અલિકવચન : - જૂઠું બોલવું તે અલિકવચન. (૨) હીલિતવચન :- અસૂયા-ઈર્ષ્યાવાળું વચન તે હીલિતવચન. (૩) ખિસિતવચન :- નિંદાવાળું વચન તે ખિસિતવચન. (૪) કર્કશવચન :- કઠોર વચન તે કર્કશવચન. દા.ત. કાણાને કાણો કહેવો તે. (૫) નાત્રકોનવચન :- સંસારી સંબંધોથી બોલાવવા તે નાત્રકો ઘટ્ટનવચન. (૬) અધિકરણવચન :- શાંત થયેલા ઝઘડાની ઉદીરણા કરાવનારું વચન તે અધિકરણવચન. છ ૬ પ્રકારની લેફ્સાઓ ર કાળા વગેરે દ્રવ્યોના સાંનિધ્યથી આત્મામાં ઊભો થતો પરિણામ તે લેશ્યા. તે ૬ પ્રકારની છે. તે આ પ્રમાણે (૧) કૃષ્ણલેશ્યા :- કૃષ્ણલેશ્યાવાળો રૌદ્ર, દુષ્ટ, હંમેશા ક્રોધી, ઝઘડા કરવાના સ્વભાવવાળો, ધર્મ વિનાનો, નિર્દય, વૈરવાળો હોય છે. (૨) નીલલેશ્યા :- નીલલેશ્યાવાળો આળસુ, મંદબુદ્ધિવાળો, સ્ત્રીમાં લુબ્ધ, પ્રપંચી, લાંબો સમય ગુસ્સો કરનારો, હંમેશા માની હોય છે. ૬ પ્રકારના વચનના દોષો - ...૧૯...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy