SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મૈથુનનો ત્યાગ કરવો તે મૈથુનવિરમણ મહાવ્રત. (૫) પરિગ્રહવિરમણ મહાવત :- મન-વચન-કાયાથી ધન-ધાન્ય વગેરે વસ્તુઓનો અને તેની મૂર્છાનો ત્યાગ કરવો તે પરિગ્રહવિરમણ મહાવ્રત. જી ૫ પ્રકારનો વ્યવહાર જ (૧) આગમવ્યવહાર:- કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દસપૂર્વી, નવપૂર્વી જે પ્રાયશ્ચિત્ત આપે તે આગમવ્યવહાર. (૨) શ્રુતવ્યવહાર - આઠ પૂર્વથી માંડીને ઘટતાં ઘટતાં એક કે અડધા પૂર્વ તથા ૧૧ અંગ અને આચારપ્રકલ્પ (નિશીથ) વગેરે શ્રુતના આધારે જે પ્રાયશ્ચિત્ત અપાય તે શ્રુતવ્યવહાર. (૩) આશાવ્યવહાર - અન્ય દેશમાં રહેલા આચાર્ય પાસે ગૂઢ પદોથી લખેલ કે કહેલ આલોચના મોકલવી અને તે આચાર્ય દ્વારા ગૂઢ પદોથી પ્રાયશ્ચિત્ત અપાવું તે આજ્ઞાવ્યવહાર. (૪) ધારણાવ્યવહાર :- ગીતાર્થે આપેલા પ્રાયશ્ચિત્તનું અવધારણ કરીને તે જ રીતે પ્રાયશ્ચિત્ત આપવું તે ધારણાવ્યવહાર. (૫) જીતત્યવહાર - દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિચારીને સંઘયણ વગેરેની હાનિને આશ્રયીને જે પ્રાયશ્ચિત્ત અપાય તે, અથવા જે ગચ્છમાં જે રૂઢ હોય તે પ્રાયશ્ચિત્ત અપાય તે જીતવ્યવહાર. જી ૫ પ્રકારનો આચાર જ (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર, વીર્યાચાર. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારનો વિસ્તાર છઠ્ઠી છત્રીશીમાં બતાવાશે. પહેલી છત્રીશીમાં તપના ૧ર ભેદ બતાવ્યા તે જ ૧૨ પ્રકારનો તપાચાર. વીર્યાચારનો વિસ્તાર ૩૫મી છત્રીશીમાં બતાવાશે. જી ૫ પ્રકારની સમિતિ જ (૧) ઈર્યાસમિતિ - લોકોએ ખૂંદેલા, સૂર્યપ્રકાશથી પ્રકાશિત થયેલા માર્ગ ઉપર સાડા ત્રણ હાથ ભૂમિને દૃષ્ટિ વડે જોતાં જીવોની રક્ષા માટે ઉપયોગપૂર્વક ચાલવું તે ઈર્યાસમિતિ. (૨) ભાષાસમિતિ :- મુહપત્તિના ઉપયોગ પૂર્વક કારણે નિરવ વચનો ૧૨.. ૫ પ્રકારનો વ્યવહાર, ૫ પ્રકારનો આચાર, ૫ પ્રકારની સમિતિ l ii
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy