SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આણંદ શ્રાવકનું ચરિત્ર. ૧૧. અગીયારમી પડીમા–તે અગીયાર મહીના સુધી સાધુના જે ભેખ ધારણ કરે, પાંચ સુમતીએ કરી સહિત વિચરે, શીર (મરતક) મુંડાવે, એટલી રાખે, પિતાની જ્ઞાતિમાં ગોચરી અર્થે ફરે, કેઈ કેણ છે એમ પૂછે તે હું પડિમાધારી શ્રાવક છું એમ કહે, એ પ્રમાણે દશાશ્રુતસ્કંધ વગેરે સૂત્રમાં પડિમાની જે વિધિ બતાવી છે તે પ્રમાણે શુદ્ધ પાળતાં થકા આણંદ શ્રાવક ભગવાનની આજ્ઞાના આરાધિક થયા. અગીયાર પડીમાં પૂર્ણ થયા પછી આણંદજીનું શરીર તપશ્ચર્યાને લઈ દુર્બળ થયું, લેહી માંસ સુકાઈ ગયાં, અને હાડપીંજર દેખાવા લાગ્યું. આવું શરીર થયા પછી એક દિવસે ધર્મ જાઝિકા જાગતાં આણંદજીને વિચાર થયે કે, “તપશ્ચર્યાથી મારું શરીર તદ્દન દુર્બળ થઈ ગયું છે. લેહી માંસ સુકાઈ ગયાં છે, પણ હજુ મારામાં બેસવા ઉઠવાની શક્તિ છે, અને મહાવીર પ્રભુ ગંધ હસ્તીની પેરે વિચરે છે ત્યાં સુધીમાં સંથારે કરી કાળ (મૃત્યુ)ને અણુઈચ્છતે વિચરૂં તે સારું ” એમ વિચાર કરી દિવસ ઉગ્યા પછી પૂર્વ દિશા તરફ મુખ રાખી બે હાથ જોડી, ત્રણ નમણૂણું ભણું, છેલ્લું પ્રતિકમણ કર્યું, અને સર્વે ને અમાવી, સંથારે કરી, સમાધી સહિત વિચરવા લાગ્યા. સારાં અધ્યવસાય અને પવિત્ર વેશ્યાને લઈ આણંદ શ્રાવકને અવધી જ્ઞાન ઉત્પન્ન થયું જેથી પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એ ત્રણે દીશામાં તેમજ લવણ સમુદ્રમાં પાંચ જજન સુધી ઉત્તર દિશામાં ચુલહીમવંત પર્વત સુધી ઉપર સુધમાં દેવલોક સુધી અને નીચે પહેલી નરક સુધી અવધી જ્ઞાનને લઇ જોયું. આવી સ્થિતિમાં આણંદજી સંથારો કરી સુતા છે. હવે તે કાળ અને તે સમયને વિષે શ્રી મહાવીર પ્રભુ તેજ ગામના ઉદ્યાનમાં પધાર્યા. સર્વ દર્શનાર્થે ગયાં. પ્રભુએ ધર્મકથા શરૂ કરી, તે સાંભળી સે મૈને ઘેર ગયા બાદ પ્રભુની ભક્તિના કરનાર, મહાન તપસ્વી, ક્ષમાવત, અખંડ બ્રહ્મચર્યના. પાલણ ડી શતા છે.
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy