SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનનો ભાવાર્થ. ૧૯ ગોપવવું નહી. જે કર્યું હોય તે “મેં કર્યું છે” એમ કહેવું. અને ન કર્યું હોય તે “મેં નથી કર્યું” એમ કહેવું.' અર્થાત્ વિનીત શિષ્ય ગુરૂની આગળ સત્ય બોલવું. (૧૧) | ભાવાર્થ-વિનીત સાધુ સુશિક્ષિત અશ્વની પેઠે “કરવા ગ્ય કાર્યની પ્રવૃત્તિ સૂચવનારું અને નહિ કરવાગ્ય કાર્યની નિવૃત્તિ સૂચવનારૂ” જે ગુરૂનું શિક્ષારૂપ વચન, તેને વારંવાર ઈચ્છતું નથી. અર્થાત ગુરૂએ ફક્ત એકવાર કહ્યું હોય, તે તેનું સર્વ કાર્ય તથા ગુરૂનું ચિત્ત જાણું જાય છે. જેમ દુર્વિનીત અશ્વ પિતાના સવારની ચાબુકને વારંવાર ઈચ્છે છે, તેમ વિનીત શિષ્ય ગુરૂના વચનરૂપ તિરસ્કારને વારંવાર ઇચ્છતું નથી. આથી સુવિનીત શિષ્ય આચાર્યને મને ગત ભાવ આકૃતિથી જાણીને પાપાચરણ વર્જવું. (૧૨) ભાવાર્થગુરૂના વચનમાં નહિ રહેનારા, અવિચાર્યું ભાષણ કરનારા અને દુષ્ટાચારવાળા અવિનીત શિષ્ય પોતાના સરળ એવા ગુરૂને ક્રોધ યુક્ત કરે છે, તેમજ ગુરૂના ચિત્તને અનુસરનારા અને શીધ્ર ચાતુર્યને ધારણ કરનારા વિનીત શિષે પોતાના કોધી ગુરૂને પણ પ્રસન્ન કરે છે. (૧૩) | ભાવાર્થ—વિનીત શિષ્ય ગુરૂએ અણપૂછયે સતે, અથવા અલ્પ પૂ સતે કાંઈ પણ બોલે નહિ, તથા ગુરૂએ પૂ સતે અસત્ય પણ ન બેલે. અને કદાપિ ગુરૂએ તિરસ્કાર કર્યો હોય, તે તેથી થએલ; ક્રોધને નિષ્ફળ કરે, તેમજ જે ગુરૂએ કહેલું વચન અપ્રિય હોય તે પણ તેને પિતાના આત્માને હિતકારી માની મનમાં ધારણ કરે. (૧૪) | ભાવાર્થ વિનીત સાધુએ આત્માને વશ્ય કરે. કારણકે, આત્મા ઘણેજ દુર્દમ છે. આત્માને વશ્ય કરનારે જીવ આ લેક અને પરલોકમાં સુખી થાય છે. (૧૫) | ભાવાર્થ-સંયમ અને તપથી મેં હારે આત્મા (દેહ) વશ્ય કર્યો તે સારું કર્યું “અર્થાત્ સત્તર પ્રકારના સંયમથી અને
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy