SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) - જે વખતે સખ્ત તાવ આવ્યો હોય, જે વખતે મુખમાંથી લાળ પડતી હોય અને જે વખતે માથાનો દુખાવો ઉપડ્યો હાયએવા વ્યાધિથી ગ્રસ્ત થયા હોય તે વખતે સર્વ ઉપાય નિરર્થક થાય છે, કરેલાં કર્મ તેના કરનારને જ ભેગવવા પડે છે. એમાં કઈ ભાગ પડાવવા આવતો નથી. તે વખતે શાંતિ આપનાર તે એક ધર્મ જ છે. તેનું શરણ લીધા સિવાય બીજે કઈ માર્ગ નથી. વ્યાધિગ્રસ્તના મનની સ્થિતિ જાણી હોય તે તે વખતે પિતાની અશરણ સ્થિતિ તે બરાબર અનુભવે છે, સર્વ સજજને એક અરિહંતમાં ધ્યાન રાખજે” એમ કહે છે ત્યારે એ પોતાની અશરણ સ્થિતિનો ખ્યાલ કરે છે. તે વખતે ધર્મ સિવાય બીજું કઈ શરણભૂત થતું નથી. ૭. शरणमेकैमर्नुसर चतुरंगं, परिहर मर्मतासंगम् । विनय ! रचय शिव॑सौख्यनिधानं, शान्तसुधारसपानम्॥वि.०८॥ અર્થ–(વિના!) હે વિનય! (હે આત્મા!) () એક ( ચતુi ) દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મરૂ૫ ચાર (ર ) શરણને અથવા અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મરૂપ ચાર શરણને (મજુરા) નું અનુસર. તથા (મમતાdi) મમતાના સંગનો (વરિદસ) તેનો ત્યાગ કર. તથા (રિવૌથનિવા) મોક્ષસુખના ભંડારરૂપ (શાન્તનુધારપાન) શાંતસુધારસના પાનને ( ૨) તું કર. ૮. ' મમતા એટલે મારા તારાપણાની વાત તેને છોડી દે. જગતને અંધ કરનાર મેહરાજાએ ઉત્પન્ન કરેલી મમતા બુદ્ધિ પ્રાણુને ખૂબ ૨ખડાવે છે તે વખતે અન્યનું શરણ લેવા દોડવું પડે છે. મમતા રાગમાંથી ઉત્પન્ન થાય છે અને એ રાગ કર્મ બંધાવે છે. એ મમતા ઊડી ગઈ એટલે પછી શરણને સવાલ પણ રહેતો નથી. તેથી
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy