SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) હવે તારી આજુબાજુ જે તે ત્યાં પણ તને ક્ષણભંગુરપણુંઅનિત્ય ભાવ દેખાઈ આવશે. જરા વિચાર કે સર્વ પદાર્થો દેખતા. દેખતા જ નાશ પામે છે. તેથી આ પ્રમાદને ધિક્કાર છે! આવી તારી વિચિત્ર માન્યતાને શું કહીએ ? આંખ ઉઘાડી રાખી હાથે કરી ખાડામાં પડે તેવા પઠિતમૂર્ખને શું ઉપદેશ આપીએ ? સમજુ માણસને આથી વિશેષ શું કહેવાય ? ચારે બાજુ અનિત્યપણું જોઈ રહેલ છે. તેની ઉપર પૂર્ણ વિચાર કર. વિચાર કરવાથી તે સમજાય તેમ છે. ૬ अँसकृदुन्मिष्य निमिर्षन्ति सिन्धुर्मिव ચેતનતના સૈમાવા इन्द्रजालोपमाः स्वजनधनसंगमा स्तेषु रज्यन्ति मूढस्वभावाः ॥ मूळ ॥ ७॥ અર્થ-આ સંસારમાં (ચેતનતના ) સજીવ અને નિર્જીવ (સમાવડ) સવે પદાર્થો (લિપૂવ) સમુદ્રના તરંગની જેમ ( ૧) વારંવાર (૩ન્મM) ઉત્પન્ન થઈને (નિમિતિ) વિલય પામે છે–નાશ પામે છે. (હ્યજ્ઞનધનતમ) સ્વજન અને ધનના સંગમ-સંયોગે (ફુન્દ્રશાસ્ત્રોમા) ઇંદ્રજાળની ઉપમાવાળા છે છતાં (તેપુ) તેને વિષે (મૂહમાવા) મૂઢ સ્વભાવવાળા જ ( ત્તિ) આસક્ત થાય છે. ૭ પરમાણુઓ અનેક રૂપો ધારણ કરે છે, પ્રાણુ અનેક જન્મ લે છે, એ એનાં જુદાં જુદાં રૂપ છે. એક રૂપ મૂકી બીજું લે છે, બીજું મૂકી ત્રીજું લે છે. એમ અનેક વાર ઉપર આવે છે અને પાછા લય પામી જાય છે. તે સર્વ ચેતન અચેતન ભાવે દરિયામાં મજા આવે તેમ એક વખત ઉછળે છે અને પાછી વિલય પામી જાય છે. તેમ આ દુનિયામાં ધમાલ કરતાં અને દેખાવ કરતાં ચેતન અચેતન સર્વ ભાવોની આ સ્થિતિ છે. ૭
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy