SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ નથી. બાકીના ૧૨ પ્રકરણ અવચૂરિ સાથે શ્રી જેન આત્માનંદ સભા ભાવનગર તરફથી મુનિરાજ શ્રી ચતુરવિજયજીના પ્રયાસથી છપાયેલા છે. તે અમને અર્થ લખવામાં અત્યંત ઉપયોગી થઈ પડેલ છે તેથી અમે તેના આભારી છીએ. છેલ્લા પ્રકરણની ટીકા માટે તે ઉપર જણાવેલું છે. એકંદર બધા પ્રકરણે અપૂર્વ બોધ આપનાર છે. દ્રવ્યાનુયોગને બેધ પ્રાપ્ત કરવા માટે અપૂર્વ સાધન છે. * મૂળ ગાથાઓની શુદ્ધિ માટે તેમજ અર્થ યથાર્થ થવા માટે બનતા પ્રયાસ કર્યો છે, શાસ્ત્રી જેઠાલાલ હરિભાઇની સહાય લીધી છે, છતાં અલ્પજ્ઞપણાને લઈને ખલના રહેવાનો સંભવ છે, તેથી સુજ્ઞ વિદ્વાનોએ આ પ્રકરણે વાંચીને તેમાં થયેલી ક્ષતિ જણાવવા કૃપા કરવી કે જેથી બીજી આવૃત્તિનો અવસર પ્રાપ્ત થાય ત્યારે અથવા તેની અગાઉ પણ તેને ઉપયોગ કરી શકાય. એવો પ્રયાસ કરનાર મહાશયન અમે અંતઃકરણથી આભાર માનશું. આશા છે કે આ વિજ્ઞપ્તિનો અવશ્ય સુજ્ઞ મુનિરાજે ને વિદ્વાનો સ્વીકાર કરશે. - પ્રાંતે આવા પ્રગટ ને અપ્રગટ બીજા અનેક પ્રકરણનો લાભ જૈન સમુદાયને આપવાના પ્રયાસ કરવાની વિઠઠગને પ્રાર્થના કરી આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. સં. ૧૯૯૩ માર્ગશીર્ષ શુકલા ૯ અ૯૫ણ કુંવરજી આણંદજી છે.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy