SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હૃદયપ્રદીપષત્રિંશિકા પ્રકરણ. ૨૭૯ નથી અને દુઃખનો નાશ થતો નથી. પ્રાણને દુ:ખનું કારણ આ સંસારના પદાર્થો અને સ્વજનાદિક કે જે અનિત્ય છે તેને નિત્ય માની બેસે છે તે જ છે; કારણ કે અનિત્ય પદાર્થો તેની સંગસ્થિતિ પૂર્ણ થયે જ્યારે તેનાથી વિખૂટા પડે છે અથવા નાશ પામે છે ત્યારે તેને નિત્ય માનનાર મુગ્ધ મનુષ્ય દુઃખ પામે છે. ૯. - વિવેકરૂપી સૂર્યને ઉદય થવાથી મેહરૂપ અંધકારનો નાશ થાય છે, તે કહે છે. मोहान्धकारे भ्रमतीह तावत् , संसारदुःखैश्च कदर्थ्यमानः। यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम् ॥१०॥ અર્થ-આ પ્રાણ (સંસાત્ત્વ ) સંસારના દુઃખાવડે (રર્થમાન:) કદથના પામતે સતે (૬) આ સંસારમાં (મોષ) મોહરૂપી અંધકારમાં (તાવ) ત્યાંસુધી (ઝતિ ) ભ્રમણ કરે છે કે (વાવ) જ્યાંસુધી (વિવામિદોન) વિવેકરૂપી સૂર્યના મેટા ઉદયવડે (૨થારિદ્ધિ) યથાર્થ– સત્યપણે (આમi) આત્માનું સ્વરૂપ (ન તિ) જેતો નથી. જ્યારે વિવેકરૂપી સૂર્યનો ઉદય થાય છે ત્યારે મેહiધકાર નાશ પામે છે, આત્મસ્વરૂપ ઓળખાય છે, અને સાંસારિક દુ:ખોની કદથના નાશ પામે છે. વિશેષાથી આ જગતમાં મેહ અને વિવેક એ બને ખરેખર એક બીજાના પ્રતિસ્પધી છે. મેહ વિવેકને ભૂલાવે છે અને વિવેક આવે છે ત્યારે મેહ નાશ પામે છે. આ સંસારમાં પ્રાણીને પરિભ્રમણ કરવાનું કારણ મેહ જ છે, અને તેનાથી છૂટવાનું-ઊંચા આવવાનું કારણ વિવેક જ છે. વિવેકરૂપ સૂર્યનો ઉદય થાય છે ત્યારે જ પ્રાણી પોતાના આત્મસ્વરૂપને જોઈ શકે છે. તે સિવાય આત્મસ્વરૂપને બોધ થઈ શકતા નથી અને આત્મસ્વરૂપ યથાર્થ સમજાયા સિવાય માહ નષ્ટ થતો નથી. એ બને પરસ્પર કાર્યકારણુભાવે વર્તે છે. ૧૦. આત્મજ્ઞાનમાં રક્ત થયેલા પુરુષના ચિત્તમાં ધનાદિક પદાર્થો અનર્થ કરનારા જ ભાસે છે, તે કહે છે – अर्थो ह्यनर्थो बहुधा मतोऽयं, स्त्रीणां चरित्राणि शवोपमानि । विषेण तुल्या विषयाश्च तेषां, येषां हृदि स्वात्मलयानुभूतिः॥११॥ અર્થ:-( ) જેઓના ( ) હદયમાં ( શ્યામનુભૂતિ ) પિતાના આત્માને વિષે લયનો-તન્મયપણાનો અનુભવ વતે છે, (vi) તેઓને (વધ) અનેક પ્રકારે સાંસારિક સુખના કારણુપણાએ કરીને (મત:) લોકેએ માનેલ (કાં અર્થ) આ પ્રત્યક્ષ દેખાતું ધન (દિ અનર્થ:) અવશ્ય અનર્થકારક લાગે છે, (સ્ત્રીબri afraft) સ્ત્રીઓનાં ચરિત્ર (રોમન) મૃતક
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy