SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હૃદયપ્રદીપ ષત્રિશિકા પ્રકરણ. ૨૭૧ " जइ जिणमयं पवजह, ता मा ववहारनिच्छए मुयह । ववहारनओच्छेए, तित्थुच्छेओ जओ होइ ॥" અર્થ:–“હે આત્મા ! (૪૬) જે (નિમર્જ) જિનેશ્વરના મત-ધર્મને (ઉવગર) તું અંગીકાર કરતા હો (તા) તો (ઘ નિષ્ઠg) વ્યવહાર અને નિશ્ચય બંને નયને (મા મુદ) મૂકીશ નહીં; (ક) કારણ કે (વવનોછેજ) વ્યવહાર નયને ઉચ્છેદ થવાથી (તિલ્યુચ્છે) તીર્થનો ઉચ્છેદ (વોટ) થાય એમ શાસ્ત્રકારે કહેલું છે. ” આ ગાથાના ભાવાર્થ ઉપરથી ભવ્ય પ્રાણીઓ વિચાર કરી શકશે કે–શાસ્ત્રકાર એકી સાથે બને નયનો સ્વીકાર બતાવી વ્યવહાર નયને નાશ થશે તે શાસનનો નાશ થશે એમ બતાવે છે, તે ઉપરથી એમ નિશ્ચય થાય છે કે વ્યવહારથી જે જે સિદ્ધિગતિના કારણ હોય તેમાં અતિ આદરપૂર્વક પ્રવર્તવું, અને એ વ્યવહારદ્વારા જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે, તે પ્રાપ્ત કરવાનું ચૂકી જવું નહીં. આ અનુભવ જ્ઞાન અને ક્રિયાથી જ પ્રાપ્ત થાય છે, અને તે જ્ઞાન તથા ક્રિયાવાળા જ આ જગતમાં પ્રાયે થોડા જ હોય છે, તે બતાવે છે – जानन्ति केचिन्न तु कर्तुमीशाः, कर्तुं क्षमा ये न च ते विदन्ति। जानन्ति तत्त्वं प्रभवान्त कर्तुं, ते केऽपि लोके विरला भवन्ति॥२॥ અર્થ -( ) આ લોકને વિષે (નિર) કેટલાક મનુષ્ય (જ્ઞાનકિત) તત્ત્વને અથવા કર્તવ્ય-અકર્તવ્યને જાણે છે, (૪) પરંતુ ( રૂં) તે પ્રમાણે કરવાને ( શા) સમર્થ હોતા નથી, (૪) અને (૨) જે મનુષ્ય (કું) કરવાને ( ક્ષમ) સમર્થ હોય છે, (તે) તેઓ (ા વિનિત) તત્ત્વને જાણતા નથી; પરંતુ જેઓ (તરવું) તત્ત્વને (જ્ઞાનતિ) જાણે છે અને (પાનું) તે પ્રમાણે કરવાને પણ (મત્તિ ) સમર્થ થાય છે, (તે) તેવા છો તો (ડ) કેઈક ( વિરહ્યા) વિરલા જ (મવરત ) હોય છે. ૨. વિશેષાર્થ:-આ લેકમાં ધર્મમાર્ગને વિષે વર્તતા જીવોના ત્રણ વગ બતાવ્યા છે. તેમાં જ્ઞાન અને ક્રિયા બને જેનામાં હોય છે તે અનુભવજ્ઞાની કહેવાય છે, તેવા માણસો જગતમાં થોડા જ હોય છે. એ પ્રથમ વર્ગ કહ્યો. આ વર્ગના જીવો જલ્દી મોક્ષ મેળવી શકે છે. હવે જેને જ્ઞાન છે, પણ ચારિત્રમેહનીયના પ્રબળ ઉદયથી તેઓ જ્ઞાન પ્રમાણે વર્તન કરવામાં સમર્થ થઈ શકતા નથી. આ બીજો વર્ગ કહ્યો. આ જીવો જે ચારિત્રમોહનીયના ક્ષપદમાદિકે કરીને યથાર્થ ક્રિયામાં વર્તવા પ્રત્યે સમર્થ હોય તેના ઉપર આદરવાળા રહે અને પોતે પણ
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy