SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 英英英英英英英英英英英英英英英英英英英英英英英美 跟寒寒寒寒寒寒寒寒艰寒寒寒寒寒寒寒寒双 તે ક્રિયાજ્ય કે વ્યવહારજ્ય માર્ગોનુસારિતા પ્રત્યે પ્રવૃત્તિને-ક્રિયાને કારણે માને છે. તે કે પણ એવી કોઈ ક્રિયા ખરી? કે જે હોય તો માર્ગનુસારિતા આવે? અને જે ન હોય કે શું તો માર્ગાનુસારીતા ન જ આવે? * જો આપણે એમ કહીએ કે જિનપૂજા વિગેરે ક્રિયાઓ માનુસારીતાનું કારણ છે તો એ ક્રિયાઓ ભૂતકાળમાં અનંતી વાર કરી, છતાં માર્ગોનુસારિતા પ્રગટી નથી. હા! કદાચ કોઈ એમ કહે કે “જૈન શાસ્ત્રની ક્રિયાઓ ઉપરાંત કાળપરિપાકાદિ કારણો પણ એ જોઈએ ને? એ ન હોય તો શી રીતે માર્ગાનુસારીતા પ્રગટે ?” તો એની સામે બીજો આ પ્રશ્ન એ ઉભો થાય કે “પતંજલિઋષિ, ભદન્તભાસ્કર વિગેરે અજૈન મહર્ષિઓને આ કે માર્ગાનુસારિતા માની છે. તેઓ પાસે તો જૈનક્રિયા નથી, તો પછી જૈનક્રિયાઓ વિના આ પણ માગનુસારિતા પ્રગટી શકતી હોવાથી શી રીતે એ ક્રિયાઓને માર્ગાનુસારિતાનું જ જે કારણ કહેવાય?” આવી મુશ્કેલીઓ દૂર કરવા માટે એક ચોક્કસ વ્યવસ્થા વિચારવામાં આવી છે. માર્ગાનુસારિતા પામનારા જીવો જૈનકુળમાં જન્મેલા જૈનો પણ હોય કે હિન્દુ, કે મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી વિગેરે કુળમાં જન્મેલા અજૈનો પણ હોય. માર્ગાનુસારિતા ૩ કે કોઈપણ પામી શકે છે. એમાં જૈનકુળમાં જન્મેલાઓ તો સામાન્યથી અરિહંત દેવોની પૂજા-સ્તવના, ૪ * જૈન સાધુઓની સેવા-ભક્તિ-વંદનાદિ અને જિનપૂજા-સામાયિકાદિ જૈનધર્મની ક્રિયાઓ જ કરવાના. આ બધી ક્રિયાઓ એવી છે કે જે માત્ર જૈનધર્મને માન્ય છે. કોઈ અજૈનધર્મો છે 5 અરિહંતાદિની પૂજાદિ કરવાની વાત તો કરવાના જ નથી. એટલે આ જૈનોને જ માન્ય એવી ક્રિયાઓ કહેવાય. જૈનો આવી જૈનોને જ માન્ય એવી ક્રિયાઓ કરતા કરતા માર્ગાનુસારિતાને પામે. અથવા તો પછી ગરીબોને દાન, પશુઓની રક્ષા, પંખીઓને દાણા નાંખવા...વિગેરે 5 સેંકડો પ્રકારની ક્રિયાઓ એવી છે કે જે માત્ર જૈનોને માન્ય નથી, પરંતુ જૈન ઉપરાંત જ = હિન્દુ વિગેરે અન્ય ધર્મોને પણ માન્ય છે. જૈનો આવી ઉભયમાન્ય ક્રિયાઓ કરતા કરતા છે પણ માર્ગાનુસારિતાને પામે. આમ જૈનો માત્ર જૈનોને માન્ય એવી ક્રિયાઓ કે ઉભય=જૈન-અજૈન બેયને જ માન્ય એવી જૈનક્રિયાઓ દ્વારા માર્ગાનુસારિતાને પામી શકે. મહામહોપાધ્યાય થવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રોખરીયા ટીમ + વિવેચન સહિત જ ૨૦ 《热热衷买双双双表表表表表英双双双减速赛表戏裁決寒寒寒浓浓浓英表表热衷表 「英英英英英英英英英英英
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy