SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ વિગેરે નીકળે તો તેથી મરણ થાય. વગેરે. પહેલો અને પહાર મૂકી બીજા અથવા ત્રીજા પહેરે ઘર ” ઉપર આવનારી ઝાડની અગર વજા વગેરેની છાયા સદા કાળ દુઃખ ; આપનારી છે. અરિહતી પંક, બ્રહ્મા અને વિષ્ણુનું પડખુ, ચંડિકા અને સૂર્ય એમની નજર તથા મહાદેવનું ઉપર કહેલું સર્વ (પૂઠ, પડખું અને નજર) વર્જવું. વાસુદેવનું ડાબું અંગ, બ્રહ્માનું જમણું અંગ, નિર્માલ્ય, હવણ જળ, સ્વજની છાયા, વિલેપન, શિખરની છાયા અને અરિહંતની દષ્ટિ એટલાં વાનાં ઉત્તમ છે. તેમજ કહ્યું છે કે–અરિહંતની પૂઠ, સર્વ અને મહાદેવ એમની દષ્ટિ, વાસુદેવને ડાબો ભાગ એ વર્જવા. ચંડી સર્વ ઠેકાણે અશુભ છે, માટે તેને સર્વથા વર્જવી. ઘરના જમણે પાસે અરિવું. તની દૃષ્ટિ પડતી હોય અને મહાદેવજે ઠ ડાબે પાસે પડતી હોય તો તે કલ્યાણકારી છે. પણ એથી વિપરીત હોય તે બહુ દુઃખ થાય. તેમાં પણ વચ્ચે માર્ગ હોય તો કાઈ જ નથી. શહેરમાં અથવા ગામમાં ઇશાનાદિ કોણ દિશામાં ઘર ન કરવું. તે ઉત્તમ જાતિના લોકને અશુભકારી છે; પણ ચંડાળ વગેરે નીચ જાતિને ઋદ્ધિકારી છે. રહેવાના સ્થાનકના ગુણ તથા દેવ, શકુન, સ્વમ. શબ્દ વગેરે નિમિત્તાના બળથી જાણવાં. તે સારું સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી તથા પાડોશીની સમ્મતી વગેરે લઈ ન્યાયથી જ પ્રહણ કરવું. પણ કોઈનો પરાભવ આદી કરીને લેવું નહી. તેમ કરવાથી ધર્મર્થ કામને નાશ થવાનો સંભવ છે. આ રીતેજ ઇટા, લા ડાં, પત્થર વગેરે વસ્તુ પણ દેષ વિનાની, મજબૂત એવી હોય તેજ ઉચિત મૂલ આપીને વેચાતી લેવી; અને મંગાવવી. તે વસ્તુ પણ વેચનારે એની મેળે તૈયાર કરેલી લેવી; પણ પિતાને માટે તેની પાસે તૈયાર કરાવીને ન લેવી. કેમકે, તેથી મહા આરંભ વગેરે દેશ લાગવાનો સંભવ છે. ઉપર કહેલી વસ્તુ જિનમંદિર વગેરેની હોય તે લેવી નહીં. કેમકે તેથી ઘણી હાનિ વગેરે થાય છે. એ વાત સંભળાય છે કે, કોઈ બે વણિક પાડોશી હતા. તેમાં એક પૈસાદાર હતા, તે બીજાને પગલે પગલે પરાભવ કરતો હતો. બીજે દરિદ્રી હોવાથી પહેલાનું નુકશાન કોઈ બીજી રીતે ૪૩૫
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy