SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સંભળાય નહીં એવું અયુક્ત વચન કેમ બોલે છે ? ” યશોમતીએ કહ્યું. “હે સુંદર! હું હારી માતા નથી, પણ મૃગધ્વજ રાજાની રાણી ચંદ્રવતી તે હારી માતા છે.” એવું વચન સાંભળીને સત્યપ્રિય ચંદ્રાંકનું મન ખરી વાત જાણવાને અર્થે ઘણું આતુર થયું. તેણે સંભળાય નહીં એવાં યશેમતીના વચનનો તિરસ્કાર કર્યો અને ખરાં માતા પિતાની પરીક્ષા કરવાને તથા તેમને જેવાને ત્યાંથી નીકળે, તે આજ તને આવીને મળ્યો. તે યશોમતી બગલીની પેઠે પતિથી અને પુત્રથી ભ્રષ્ટ થઈ. બન્નેના વિયેગથી તેને વૈરાગ્ય થશે. દીક્ષા લેવાનો વિચાર હતો, પણ જૈન સાવીન યોગ નહિ મળવાથી તે ગિની થઈ. તેજ યશોમતી હું છું. સારા ભવની ભાવના ભાવવાથી મને શીધ્ર કેટલુંક જ્ઞાન થયું, તેથી હું આ સર્વ વાત જાણું છું. તેજ દક્ષ યક્ષે આકાશવાણીના રૂપે હારી આગળ આ સર્વ વાત કહી. તે મેં તને જેવી હતી તેવી કહી સંભળાવી.” નહિ સાંભળવા લાયક એવી તે વાત સાંભળીને મૃગધ્વજ રાજાને ઘણે ક્રોધ ચઢ, અને તેના મનમાં ઘણે ખેદ પણ ઉત્પન્ન થયો. ઘરનું ખરાબ વૃત્તાંત સાંભળવાથી કોના ચિત્તને બળતરા ન થાય? પછી સત્ય ભાષણ કરનારી ગિનીએ મૃગધ્વજ રાજાને પ્રતિબોધ કરવાને અર્થે મિનીની ભાષાની રીત પ્રમાણે મધુર વચનથી કહ્યું. તે આ રીતે – કવણકેરા પુત્તા મિત્તા, રે કવણ કેરી નારી છે મેહે હૈ મેરી મેરી, મૂઢ ગણે અવિચારી લે છે જાગ જાગને જોગી હો, જોઇને જે વિચારે છે મેરિડ અમારગ આદરિ મારગ, જિમ પામે ભવપાર શાકા અતિહિ ગહના અતિહિ કૂડા, અતિહિ અથિર સંસારા ! ભામુ છાંડી યુગ જુ માંડી, કીજે જિનધર્મ સારા વા જાગ છે મોહે મેહિઓ કોહે નેહિઓ, લેહે વાડિઓ ધાઈ છે. • મુહિઆ બિહું ભાવિ અવર કારણિ, મૂરખ દુખ થાઈ જા જાળા એકને કાજે બિહે ખચે, ત્રણે સંચે ચારે વારે છે પાંચે પાળી છએ ટાળી, આપે આપ ઉતારે છે ૫ જાગ છે, ( ઇતિ ચેમિનોની વાણી ) ૭૧
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy