SearchBrowseAboutContactDonate
Page Preview
Page 974
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલાક. [ મુ . સથા વેગળા રહે છે. એએ એમ ખરાબર સમજે છે કે-જે આત્મા, પુણ્ય, પાપ, પરલેાક અને મેાક્ષને માનતા નથી, તેજ વસ્તુતઃ નાસ્તિક છે, અને તેમાંજ નાસ્તિક ' શબ્દ યથાર્થ ઘટી શકે છે. તે સિવાય બાકીના, કે જેએ પૂર્વાંત આત્મા વગેરે પરાક્ષ તત્ત્વને માનનારા છે, એવાઓને નાસ્તિક ' શબ્દથી ફટકા મારવે, એ સર્વથા અનુચિત છે. ' હિન્દુ અને મુસલમાન, એ એક પ્રકારનેા જાતિભેદ છે, અને એ જાતિભેદ કર્મનું પરિણામ છે. જ્યારે આમ હકીકત છે, તો પછી એક ખીજા તરફ ખરાબ કે હલકા શબ્દોથી વ્યવહાર કરવાનું કશું કારણ છે ખરૂં ?. કાઇ પણ મનુષ્યને પાપથી નિવૃત્ત કરવા હાય, તે મધુર ઉપદેશની જરૂર છે. સરલ શબ્દોમાં પણુ વસ્તુસ્થિતિ કહી શકાય છે, તો પછી નિરક જોખમભરેલા કડક શબ્દોથી વ્યવહાર શાને કરવા જોઇએ ?. કાઇ પણ સમ્પ્રદાયને કાઇ પણ મનુષ્ય, આત્મકલ્યાણના પથ ઉપર યથાશકિત યદિ ચાલતા હાય, તે તે બરાબર આય છે. તેમજ કાઇ પણ સપ્રદાયને કાઇ પણ મનુષ્ય, યાગી–વૈરાગી-મહાત્મા-મહાપુરૂષની સંગતિને લાભ લઇ પોતાનું શ્રેય સાધતા હાય, તેા તે ખરેખરા સત્સંગી છે. આ ઉપરથી એ સમજવાનું છે કે કાઇએ પણ ટૂંકી નજર નહિ રાખતાં દરેકે વિશાલ દૃષ્ટિથી વસ્તુસ્થિતિનું અવલોકન કરવું જોઇએ, - અને આત્માન્નતિને સમ્પાદન કરી આપનાર સત્ય ધર્મની અંદર બધાએને શામિલ કરવા માટે બધાએ સાથે પવિત્ર પ્રેમ અને સમુચિત પદ્ધતિથી વ્યવહાર કરવા જોઇએ. અધમ પંક્તિના મનુષ્યાને વિચાર કરતાં પ્રસંગતઃ ખીજી બાબત પણ જોવા. અસ્તુ. હવે પ્રસ્તુતમાં આવીએ. વિશ્ર્ચમ. અર્થ અને કામની સાથે ધર્મની આરાધના કરવા છતાં પણ તે ધર્મની આરાધના જો ફક્ત સાંસારિક સુખ મેળવવા માટેજ કરવામાં આવતી હાય અને મેક્ષ તરફ અભિરૂચિ ન હેાય, તે તેવા મનુષ્યેાના વિષધ્યમ નામના ત્રીજા વિભાગમાં સમાવેશ થાય છે. આ વિભાગના મનુષ્યા મેાક્ષ તરફ જેમ દ્વેષ ધારણ કરતા નથી, તેમ રાગ પણ ધારણ 820
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy