SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્વાક. પ્રાપ્ત થયા પછી શુકલધ્યાનને બીજે ભેદ બારમા ગુણસ્થાને પ્રાપ્ત થાય છે. શુધ્યાન બીજે ભેદ પ્રથમ ભેદ કરતાં ઘણો જ પ્રબળ છે. ફક્ત એક અણુ ઉપરજ-એક પર્યાય ઉપરજ ચિત્તની સંપૂર્ણ સમાધિ થવી,એ શુકલધ્યાનને બીજે ભેદ છે. ચિત્તની સમાધિની પૂર્ણતા,બીજા શબ્દોમાં “ગોળસિનિષ: ” એ સૂત્રપ્રતિપાદિત યુગની પરાકાષ્ઠા-ચરમ સીમા શુકલ ધ્યાનના બીજા ભેદમાં જ પ્રાપ્ત થાય છે. આ છેલ્લામાં છેલ્લે માનસિકયેગા છે. અહીં કૈવલ્યસાધક યુગની પૂર્ણાહુતિ થાય છે. આ યોગનું-ધ્યાનનું સમાધિનું–શુક્લધ્યાનનું નામ છે–એકત્વવિતર્ક છે. એક પર્યાયજ ઉપર વિતર્ક (વિચારશ્રેણી ) જેમાં રહે, એ એકવિતર્ક કહેવાય. આ અજબ સમાધિ છે. જે અણુ (પરમાણુ ) દષ્ટિપથમાં પણ નથી, આવી શકતે તેના એક પર્યાય ઉપર સુસ્થિર ચિત્તવૃત્તિ રહેવી, એ કેવું લોકોત્તર ધ્યાન !. આ ધ્યાનમાં પૂર્વ શુકલધ્યાનની જેમ સંક્રમણ નથી, એજ માટે આ ધ્યાનને અવિચાર’ વિશેષણ અપાય છે. ( વિચરણ-સંક્રમણ એ વિચાર, એથી રહિત તે અવિચાર.) આ સમાધિરૂપ જાજ્વલ્યમાન અનિવડે સર્વ (ઘાતિ ) કર્મો સર્વથા દગ્ધ થઈ જાય છે અને આત્મા પરમશુદ્ધ-સર્વજ્ઞ–પરમાત્મા બને છે. આ સમાધિથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી કેવલજ્ઞાનીને કઈ ધ્યાન કરવાનું રહેતું નથી, એઓ આયુષ્ય પર્યન્ત પૃથ્વીતળ ઉપર ૧ વિષ ઉતારવામાં મહાન કુશલ પુરૂષો જેમ આખા શરીરમાં પ્રસરેલા વિષને ખેંચીને દંશસ્થાનમાં લાવે છે, તેમ છેલ્લી હદના યોગીશ્વરે વિશ્વભ્રમણશીલ મનને એક પરમાણુ ઉપરજ સ્થિત કરી દે છે. દશસ્થાનમાં એકત્ર કરેલું વિષ જેમ તત્કાલ દૂર કરી શકાય છે, તેમ પરમાણુ ઉપર સ્થિર થયેલ વિચારાત્મક મન તત્કાળ નષ્ટ કરી શકાય છે. + “ ત્રિષિ દયાનામુવાળૌ વષી મન: | સર્વાળિ વિષે સંશે મન્ગવ પ્રમુ: ” કાનને નમઃ ષધોનસ: .. વરિતો નિતિ થથા નિર્વાળે તમનતા ” (હેમચન્દ્રકૃત અજિતનાથચરિત્ર, ૩૪૧-૪૨) 788
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy