SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, વરણ) કષાય અને છેલ્લા સંજ્વલન ક્રોધ-માન-માયાને ક્ષીણ કરે છે. એટલા અગ્યાર કષા પૂર્ણ ક્ષીણ થતાં દશમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનમાં સંજવલન લેભને સૂક્ષ્મ અણુ રહેલો હોય છે. તેને ક્ષય થતાં એકદમ બારમું ગુણસ્થાન આવે છે. બારમું ગુણસ્થાન ક્ષીણમેહ છે, અર્થાત એમાં મેહનો પૂરે ક્ષય થયેલ હોય છે. મહિને ક્ષય થયો એટલે તરત કેવલજ્ઞાન પ્રકટ થાય છે. જો કે કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવ માટે મેહનીયકર્મની જેમ બીજા ત્રણ ઘાતિ ( જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય) કર્મોનો ક્ષયની જરૂર છે જ, તથાપિ મેહ નીય કર્મના ક્ષયનું પ્રાધાન્ય છે, કારણ કે મેહનીય કર્મને સંપૂર્ણ ક્ષય થયા પછી જ તે ત્રણ કર્મોને સંપૂર્ણ ક્ષય થાય છે. મોહનીય કમનો પૂર્ણ ક્ષય થયા પછી તે ત્રણ ધાતિ કર્મો એકદમ ક્ષય પામી જાય છે બધાયુ મનુષ્ય યદિ ક્ષપકશ્રેણીને પ્રારંભ કરે, અને અનન્તાનુબન્ધી ચાર કષાયને ક્ષય કરી મરણ પામે, તે તેને પુનઃ અનન્તાનુબન્ધી કષાયોને ઉદય થવો સંભવિત છે; કારણ કે અનન્તાનુબંધી કષાનું મૂળ, જે મિથ્યાત્વ, તેને ક્ષય તેણે કર્યો નથી; અને જ્યાં સુધી મૂળને ક્ષય કરવામાં ન આવ્યા હોય, ત્યાં સુધી તે મૂળને અંકુરિત થવાને સંભવ રહે ખરે. + ક્ષપકશ્રેણીવાળો દશમા ગુણસ્થાનથી અગ્યારમા ( ઉપશાત્મેહ ) ગુણસ્થાને નહિ જતાં બારમેજ ગુણસ્થાને જાય છે. * એજ માટે ભગવાન ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રના છેલ્લા મધ્યાયના “મોક્ષમાનું જ્ઞાન-ર્શનાવરણાત્તરારક્ષા જેવા ” ! એ સૂત્રમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અન્તરાય એ ત્રણનેજ ક્ષય’ શબ્દ સાથે એક સમાસવાક્યમાં જોડી મેહક્ષય’ શબ્દનો અલગ અને પ્રથમ નંબરે ઉલ્લેખ કર્યો છે. . . | ઃ જે કે આપણે ક્ષપકશ્રેણીમાં ફક્ત મેહનીય કર્મનાજ પ્રકારે ક્ષય જે, પરન્તુ વચ્ચે વચ્ચે બીજા ઘાતિ કર્મોની પ્રકૃતિઓને, અને અઘાતિકર્મોની પ્રકૃતિઓને પણ ક્ષય થાય છે. તેનું સ્પષ્ટ વિવરણ ગુણસ્થાનકમારેહ અને કર્મમાંથી જાણી લેવું. 786
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy