SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક સ્થાપિત થયેલે દંડના પૂર્વ વ્યાપારને સંસ્કાર છે, તેવી જ રીતે સ્થાન થઈ રહ્યા પછી પણ ધ્યાનના સંસ્કારબલાત ધ્યાનના સમય જેવા શુદ્ધ પરિણામને જે પ્રવાહ વહે, એને અસંગાનુષ્ઠાન કહેવામાં આવ્યું છે.) જેને સાંખ્યાચાર્યો “ પ્રશાન્તવાહિતા', બાઢે “ વિભાગપરિક્ષય, શિ શિવવર્મ” અને મહાવતિઓ “ધ્રુવાધ્વા શબ્દથી કથે છે, તે આ અસંગાનુષ્ઠાન છે.”—૧૨૭ ભાવાર્થ. સાતમી દૃષ્ટિમાં ચિત્તની સ્થિરતાને બહુજ મેટે લાભ મેળવાય છે, આ દષ્ટિમાં તત્ત્વપ્રતિપત્તિને ગુણ પ્રાપ્ત થાય છે. આની પૂર્વદૃષ્ટિમાં જ્યારે મીમાંસા ગુણ હતું, તે તેના પરિણામે પ્રસ્તુત દૃષ્ટિમાં તપ્રતિપત્તિ ગુણને પ્રાદુર્ભાવ થવો જ જોઈએ. તત્વોનું યથાર્થ જ્ઞાન એ તત્વપ્રતિપત્તિ શબ્દનો અર્થ છે. સૂક્ષ્મ પદાર્થોને સૂક્ષ્મ બુદ્ધિ પૂર્વક વિચાર કરતાં કરતાં જે અજવાળું પડે છે, તે આ દષ્ટિને ગુણ છે. એ અજવાળાને સર્યના પ્રકાશની ઉપમા આપવામાં આવી છે. આ દૃષ્ટિમાં રેગ, જે ધ્યાનને પ્રતિબન્ધક છે, તે નષ્ટ થાય છે. એ દેષના દૂર થવાથી ધ્યાનનો એ નિર્મળ પ્રવાહ પ્રાપ્ત થાય છે કે એનાથી આત્મા ઉપશમસુખની અંદર રમણ કરતા રહે છે. અને એનું જ એ પરિણામ છે કે આ દૃષ્ટિમાં અસંગાનુષ્ઠાનને અભ્યદય હોય છે. જેવી રીતે દંડના પ્રયોગથી ફરેલું ચક્ર દંડને વ્યાપાર બંધ પડી ગયા પછી પણ છેડે વખત ફરતું રહે છે, અને એનું કારણ દંડના પૂર્વ વ્યાપારને સંસ્કાર છે, તેવી રીતે ધ્યાન થઈ રહ્યા પછી ધ્યાનજનિત સંસ્કારવશાત તેવાજ ( ધ્યાનના વખત જેવા) પરિણામને પ્રવાહ વહેવો એને “અસંગાનુષ્ઠાન ” સંજ્ઞા આપવામાં આવી છે. આ બહુ ઉંચી સ્થિતિ છે. આનાથી પ્રતિક્ષણ બહુજ કર્મપુજન વિધ્વંબ થઈ જાય છે. આથી આત્મા બહુજ નિર્મળતા ઉપર પ્રાપ્ત થતું જાય છે. આ સ્થિતિની પ્રાપ્તિને દરેક ગાચાર્યો અગત્યની માને છે, એટલા માટે તેઓ તે સ્થિતિને જુદા જુદા નામથી પિતાના ગ્રન્થમાં ઉલ્લેખ કરે છે, અને તે મૂળ શ્લેકના મૂળ અર્થમાં જોઈ ગયા છીએ. થrષ્ટમી ઘર દૃષ્ટિ – दृष्टिः परा नाम समाधिनिष्ठाऽष्टमी तदासङ्गविवर्जिता च । सात्मीकृताऽस्यां भवति प्रवृत्तिबोधः पुनश्चन्द्रिकया समानः॥१२८॥ 580
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy