SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ, ] SPIRITUAL LIGHT. ' 6 > અર્થ કામ આવતા નથી; પણ તેનું ખાસ પ્રવૃત્તિનિમિત્ત શું છે, તે જોવાની અગત્ય રહે છે. ગે! ’ શબ્દને યાગિક અર્થ- ૫ઘ્ધતીતિ નૌઃ અર્થાત્ · જે ગતિ કરે તે ગાય ’. એવેા થાય છે. પરન્તુ એથી શું ગતિ કરનારા માણસાને જો કહી શકાશે? અને એડ઼ેલી ગાયને શુ ‘શો નહિ કહેવાય ? માટે ગા શબ્દના તે યાગિક અથ નિરર્થક છે. શબ્દની વ્યુત્પત્તિ બનાવતાં સહેજે યાગિક અર્થ સ્ફુરે, પણ તે નિરૂપયેાગી છે. . એ માટે · શો ' શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત જેમ ગાત્વાતિ છે, અર્થાત્ ગેાવજાતિ ( ગલકબલાઘાકારયુક્ત સંસ્થાનવિશેષ ) જેમાં હાય, તેનેાજ શો’ શબ્દથી વ્યવહાર થાય શકે છે, તેમ પ્રસ્તુતમાં વેદ્યસ ંવેદ્યપદ ' શબ્દને વ્યુત્પત્તિની વિચિત્રતાનુસાર ગમે તે અ ઘડવામાં આવે, પણ તેનું પ્રવૃત્તિનિમિત્ત તે ગ્રન્થિભેદજનિત સમ્યગ્દર્શન છે. ' " ܕ + સમ્યકત્વનું સ્વરૂપ બીજા પ્રકરણના અન્તભાગમાં જોઇ આવ્યા છીએ, એટલે એ સંબન્ધમાં કંઇ કહેવાનું રહેતું નથી; પરંતુ તેના સબન્ધમાં શાસ્ત્રકારાના જે પરસ્પર વિચારભેદો છે, તે તરફ લગાર દૃષ્ટિપાત કરી જવા ઠીક લાગે છે. પ્રથમ એ વિચાર પ્રાપ્ત થાય છે કેમનુષ્ય સમ્યકત્વયુક્ત મરણ પામીને કઇ ગતિએ જાય ? આ પ્રશ્નના સમા ધાનમાં કગ્રન્થકાર મહર્ષિએ એમ કહે છે કે-તે, વૈમાનિક ( ઊર્ધ્વ સ્વ ) ગતિએજ જાય. આવા મનુષ્યને એ ગતિ સિવાય ખીજી ગતિના અસંભવ છે. પરંતુ સિદ્ધાન્તકારો આથી જુદું કહે છે. તેઓનું કથન એમ છે કે-મનુષ્ય સમ્યકત્વયુક્ત મરણ પામીને દેવગતિ, મનુષ્યગતિ, તિય ચગતિ અને નરકગતિ એમ ચારે ગતિમાં જઇ શકે છે. અર્થાત સમ્યકત્વપ્રાપ્તિ પહેલાં જે મનુષ્યે પૂર્વાંત ચાર ગતિએમાં જે ગતિનું આયુષ્ય બાંધ્યું હાય, તે મનુષ્ય સમ્યકત્વ પ્રાપ્ત કર્યાં પછી સમ્યકત્વને સાથે લઇ તે ગતિમાં જાય છે. અધેાલેાકમાં છઠ્ઠી નરક સુધી સમ્યક્ત્વ સાથે લઈને જવાય છે. ( આ વિચારભેદ ક્ષાયેાપશમિક સમ્યકત્વને અંગે સમજવા.) વિચારભેદની ખીજી ખાબત એ છે કે-કર્મગ્રન્થકારા કહે છે કે અનાદિ મિથ્યાદષ્ટિ પ્રાણી પ્રથમ પમિક સમ્યકત્વનેજ પ્રાપ્ત કરે છે. ( એની પ્રાપ્તિના પ્રકાર બતાવી દીધા છે ) અને તે સમ્યકત્વને અન્તર્મુહૂત - + આ લેખ વાંચતા પહેલાં દ્વિતીય પ્રકરણમાં ૪૫ શ્લાક ઉપર આપેલા સમ્યકત્વવિષયક લેખ વાંચી જવા; ત્યારેજ આ લેખ સમજી શકાશે. 491
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy