SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક. [ ત્રીજ અહીં આપણે તર્ક અનુમાન શું છે? એ જાણવા માટે ન્યાયની પ્રક્રિયા પ્રારંભથી લગાર ટૂકમાં જોઇ જવી જોઇશે— જે વડે વસ્તુતત્ત્વને યથાર્થ નિશ્ચય થાય, તે પ્રમાણ છે. યથા જ્ઞાન વડે સંદેહ, ભ્રમ કે મૂઢતા દૂર થવાથી અને વસ્તુસ્વરૂપને યથા પ્રકાશ થવાથી તે યથાર્થ જ્ઞાન પ્રમાણ છે. પ્રમાણના બે ભેદ છે–પ્રત્યક્ષ અને પરેાક્ષ. મનસહિત ચક્ષુ આદિ ન્દ્રિયાથી જે રૂપ, રસ આદિનું ગ્રહણ થાય છે, અથાત્ ચક્ષુથી રૂપ જોવાય છે, જીભથી રસ ગ્રહણ કરાય છે, નાથી ગન્ય લેવાય છે, ત્વચાથી સ્પર્શ કરાય છે અને કાનથી શબ્દશ્રવણ કરાય છે, તે પ્રત્યક્ષ છે. વ્યવહારમાં અનુભવાતાં ઉપર્યુક્ત પ્રત્યક્ષાથી જુદા પ્રકારનું પ્રત્યક્ષ યોગીશ્વરાતે હાય છે, જે ઇન્દ્રિય અને મનની અપેક્ષા બિલ્કુલ રાખતું નથી, માત્ર આત્મશક્તિની અપેક્ષા રાખે છે. ઈન્દ્રિયાથી પ્રત્યક્ષ થવામાં વસ્તુની સાથે ઇન્દ્રિયના સયાગ થવા જરૂરતા છે કે કેમ ? એ અત્ર વિચારનું સ્થળ છે. જીભથી રસ લેવાય છે, ત્યાં જીભ અને રસને સયેાગ ખરાખર હાય છે. ત્વચાથી સ્પર્શ કરાય છે, ત્યાં ત્વચા અને સ્પર્શીવાળી વસ્તુને સયાગ ચેોખ્ખા કળાય છે. ગન્ધવાળાં દ્રવ્યેા નાકની સાથે અવશ્ય સયેાગ ધરાવતાં હાય છે. દૂરથી ગન્ધ આવવામાં પણ દૂરથી ગન્ધવાળાં સૂક્ષ્મ દ્રવ્યાનું નાકની પાસે આવવાનું અવશ્ય હેાય છે. કાનથી સાંભળવાનુ પણ, દૂરથી આવતા શબ્દો કાનની સાથે અથડાય છે, ત્યારે જ થાય છે. એ રીતે જીભ, ત્વચા, નાક અને કાન એ ચારે ઇન્દ્રિયે! વસ્તુની સાથે સયુક્ત થઇ પોતાના વિષયને ગ્રહણ કરે છે; પરન્તુ ચક્ષુ એ માત્રતમાં ઉલટી છે. ચક્ષુથી દેખાતા દૂરના વૃક્ષ વગેરે પદાર્થા ચક્ષુની પાસે આવતા નથી, એ ખુલ્લું છે, તેમ ચક્ષુ પણ શરીરથી બહાર નિકળી તે પદાર્થોં પાસે જતી નથી. આ ઉપરથી સાબિત થાય છે કે—ચક્ષુથી જોવામાં વસ્તુની સાથે ચક્ષુને સંયેાગ થતા નથ. અતએવ ચક્ષુને ન્યાયભાષામાં " , અપ્રાપ્યકાર ' કહે છે. અર્થાત્ ‘ અપ્રાપ્ય ' એટલે પ્રાપ્તિ કર્યાં વગર– સયાગ કર્યાં વગર ‘ કાર ' એટલે વિષયને ગ્રહણ કરનાર. આનાથી ઉલટી ચાર ઇન્દ્રિયા પ્રાપ્યકાર ' કહેવાય છે. મન પણ ચક્ષુની જેમ અપ્રાપ્યકાર છે. ' : ܕ 480
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy