SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ! SPIRITUAL LIGHT. કે શ્રવણને લાભ નહિ મળવા છતાં પણ કર્મને ક્ષય થાય છે. જો કે કર્મક્ષયમાં શ્રવણ જેટલે દરજજે સાધન છે, તેટલે દરજજે શુશ્રષા નથી, પરન્તુ એ ધ્યાનમાં રાખવું કે શુશ્રષાની ઉત્કટદશાનું એ પરિણામ આવે છે કે શ્રવણનો લાભ અટકાવનારા અતરાય કર્મનો નાશ થાય છે અને એથી શ્રવણને લાભ સુલભ થઈ પડે છે. શુશ્રષાગુણની પ્રબળતાદશામાં શ્રવણને ગમે ત્યારે પણ ઘસડાઈને આવવું જ પડે છે. આજ કારણથી શુક્રપાનું મહત્ત્વ ત્યાં સુધી બતાવવામાં આવ્યું કે તે કર્મક્ષય થવામાં કારણભૂત છે. વાત બરાબર છે, કેમકે શુશ્રષા શ્રવણદ્વારા સન્માર્ગ ઉપર ચઢાવીને કર્મક્ષયની સામગ્રી મેળવી આપે છે. એ માટે પ્રાથમિક આવશ્યક સાધન તરીકેની દષ્ટિએ શુભ્રષાને કર્મક્ષયનું કારણ કહેવું, એ જરાએ ખોટું નથી. चतुर्थी दीपा दृष्टिःतूर्यान्विता पाणयमेन योगोत्थानेन मुक्ता गवादि दीपा । अस्यां च तत्वश्रवणप्रवृत्तिने सूक्ष्मबोधः पुनरत्र भाति ॥ ९९ ॥ The fourth standpoint is called Diprā which is characterized by cessation of breath ( Prānāyāma ) and is free from the obstacles to the Yoga. In this stage he hears the scriptural truth yet there is no inner perception of it. ( 99 ) દીપ્રાદષ્ટિ યોગના ઉત્થાનરહિત અને પ્રાણાયામયુક્ત એવી દીપ્રા નામની ચેથી દૃષ્ટિ છે. આ દ્રષ્ટિમાં તરવશ્રવણને ગુણ પ્રાપ્ત થાય છે, કિન્તુ અહીં સુમબોધને ઉદય હોતો નથી. –૯૮ અર્થાત–આ દૃષ્ટિમાં ચિત્તની પ્રશાંતવાહિતા એવા પ્રકારની પ્રાપ્ત થાય છે કે, જેના લીધે પ્રારંભેલી પ્રવૃત્તિમાં ઉત્થાન થતું નથી. આ દોષ આ દૃષ્ટિમાં ટળી જાય છે અને તવશ્રવણુગુણનો આવિર્ભાવ . થાય છે. १ " प्राणायामः प्राणयमः ” इति हेमचन्द्रविरचितेऽभिधानचिन्तामणिनामनामकोषे देवाधिदेवनामकप्रथमकाण्ड ८३ श्लोके । 467
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy