SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલાક. ખીજાં સમ્યક્ત્વ અને ક્ષાયિકસમ્યકત્વ. ઉપરના જે પ્રકાર સભ્યત્વની પ્રાપ્તિ માટે ખતાવ્યા છે, તે આપશમિકસમ્યક્ત્વની પ્રાપ્તિના સમજવા. ક્ષાયા પશ્ચમિક સમ્યક્ત્વ આપશમિક સમ્યક્ત્વથી જુદું પડે છે. એ એમાં ફરક કેટલા છે તે જોઈએ. આપશ્ચમિક સમ્યક્ત્વ અન્તર્મુહૂત્ત સુધી રહે છે. તેટલા વખતમાં આત્મા દનમેાહનીય ( મિથ્યાત્વમેાહનીય ) કનાં દ્રવ્યાને સ્વચ્છ કરવાને પ્રયત્ન કરે છે. તેટલા વખતમાં તે દ્રવ્યામાંથી જેટલા ભાગ શુદ્ધ થાય છે, તેનું નામ સમ્યકત્વમેાહનીય, જેટલા ભાગ અડધા શુદ્ધ બને છે, તેનું નામ મિશ્રમેાહનીય પડે છે અને જે ભાગ અશ્રુતે અશુદ્ધજ રહી જાય છે, તેનું નામ મિથ્યાત્વમેાહનીય છેજ. જેમ અતિમલિન કાચ બહારથી આવતા પ્રકાશને અટકાવે છે, પરન્તુ તેજ કાચ જ્યારે સ્વચ્છ બનાવવામાં આવે છે, ત્યારે તે પ્રકાશના પ્રતિઅન્યક થતા નથી, એજ પ્રમાણે દનમેાહનીય (મિથ્યાત્વમેહનીય ) કનાં દ્રવ્યામાંથી મિથ્યાત્વરૂપ મળ દૂર કરવાથી તે દ્રવ્યો એવાં સ્વચ્છ બની જાય છે કે તે યથા તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વને અટકાવનારાં થઇ શકતાં નથી. ઉપર કહ્યું તેમ શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એમ દનમેાહનીય (મિથ્યાત્વમાહનીય ) કનાં દ્રવ્યાના ત્રણ વિભાગે ઉપશમસમ્યકત્વમાં વત્તા આત્મા કરે છે. હવે જ્યારે આપશમિકસમ્યક્ત્વના કાળ પૂરા થાય છે, ત્યારે જો પેલાં શુદ્ધ દ્રવ્યાના ઉદય થાય, તા આત્માક્ષાયેાપશમિકસત્વને પ્રાપ્ત કરે છે, મિશ્ર દ્રવ્યોના ઉદય થાય તા સમ્યગ્દષ્ટિ નહિ, પશુ મિશ્રદષ્ટિ બને છે અને અશુદ્ધ દ્રવ્યોના ઉદય થતાં મિથ્યાદષ્ટિ થાય છે. આપશમિકસમ્યકત્વમાં જેમ શુદ્ધ શ્રદ્ધાન હેાય છે, તેમ ક્ષાયેાપશમિક સમ્યકત્વમાં પણ શુદ્ધ શ્રદ્ઘાન હેાય છે. પરન્તુ ફરક એ છે કે—આપશમિક સમ્યકત્વમાં મિથ્યાત્વકના પ્રદેશ-ઉદય પણ હાતા નથી, ( અન્ય આચાર્યોં કહે છે કે ઉપશમશ્રેણિવાળાજ આપશમિક સમ્યકત્વમાં મિથ્યાત્વકતા પ્રદેશ–ઉદય હાતા નથી, અન્યત્ર હેાઇ શકે છે) જ્યારે ક્ષાયેાપમિક સમ્યકત્વમાં મિથ્યાત્વદ્રવ્યાના પ્રદેશ-ઉદ્દય સંભવે છે. પ્રદેશ-ઉદય એટલે સૂક્ષ્મ ઉદય. એ સિવાય આપશમિક સમ્યકત્વમાં દર્શનમેહનાં કાઇ પુદ્ગલાને ઉદય હાતા નથી, જ્યારે ક્ષાયેાપશમિકસમ્યકત્વ દર્શનમેહનાં શુદ્ધ પુદ્ગલાના વિપાકાયરૂપજ છે. અતએવ ક્ષાયેાપશ્ચમિકસમ્યકત્વ પાલિક અથવા આપચારિક સમ્યકત્વ કહેવાય છે, જ્યારે આપશમિક સમ્યકત્વ આત્મિક છે. 306
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy