SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણું, ] *SPIRITUAL LIGHT, મનની પ્રસન્નતા, પ્રશાન્તવૃત્તિ, શુભધ્યાન, આત્મસયમ અને શુદ્ધભાવના એ માનિસક તપ છે. પ્રકારાન્તરથી પણ તપના ભેદે પડી શકે છે. જેમકે-સાત્ત્વિક તપ, રાજસ તપ અને તામસ તપ. આ ત્રણ ભે ભગવદ્ગીતામાં શી રીતે વર્ણવ્યા છે, તે જોઈએ 66 श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः । अफलाकांक्षिभिर्युक्तैः सात्त्विकं परिचक्षते 11 66 tr सत्कारमानपूजार्थं तपो दंभेन चैव यत् । क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् .. 11 मूढप्राहेणाSSत्मनो यत् पीडया क्रियते तपः । परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् 11 "" અર્થાત્—ઉત્તમ શ્રદ્દા વડે અને ફૂલની આકાંક્ષા વગર જે શારીરિક, વાચિક અને માનસ તપ કરવામાં આવે છે, તે સાત્ત્વિક તપ છે. સત્કાર, માન, ખ્યાતિ મેળવવા માટે અને કરવામાં આવે છે, તે રાજસ તપ છે. ભયુક્ત જે તપ મૃઢતાથી અજ્ઞાનક્લેશરૂપ જે તપ કરવામાં આવે છે અને ખીજાને નાશ કરવા માટે જે તપ કરવામાં આવે છે, તે તામસ તપ છે. આ તપના ત્રણ પ્રકારામાં સાત્ત્વિક તપ . એજ વાસ્તવિકતા છે. એનાથીજ આત્મકલ્યાણની સિદ્ધિ છે. રાજસ અને તામસ તપ તા નામમાત્રથી તપ છે. એનાથી પરમાથ લાભ નથી. તપની અંદર ખાસ કરીને સાવધાનતા એ રાખવાની છે કે દંભ, અહકાર અને ક્રોધને સ્પર્શી તેને થવા ન જોઇએ. તપનું અજીણું ક્રોધ છે, તપના વિકાર અહંકાર છે અને તપનું શલ્ય દંભ છે. એ ત્રણેથી મુકત રહેવામાંજ તપની મહત્તા, વાસ્તવિકતા અને શ્રેયસ્કરતા સમાયલી છે. તપ:Đિઃ— fafe व्यथायामपि सम्भवन्त्यामनादरस्तत्र न संविधेयः । अभ्यासतोऽग्रे सुकरं तपः स्यात् कष्टाद् बिना कर्म न हन्यते ऽपि ॥२७॥ 273
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy