SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ - અધ્યાત્મતત્વાક મડદું કહેવાતા શરીરને સજીવન આત્મા કાં ન કહી શકાય ? અને અતએ તેને અગ્નિદાહ કેમ થઈ શકે ? પરંતુ વસ્તુસ્થિતિ એમ નથી. જ્ઞાન, સુખ, ઈચ્છા વગેરે ગુણો મૃતક શરીરમાં નહિ રહેવાથી એ સાબિત થાય છે કે તે ગુણોને આધાર શરીર નથી, પણ બીજે છે, અને એનું નામ આત્મા છે. શરીર, પૃથ્વી જલ તેજ અને વાયુ એ ભૂતથી બનેલું ભૌતિક છે, અને જેમ ઘટ પટ વગેરે જડપદાર્થોમાં જ્ઞાન, સુખ આદિ ધર્મોની સત્તા નથી, તેમ જડ શરીરમાં પણ જ્ઞાન, સુખ આદિ ધર્મોની સત્તા હોઈ શકે નહિ. - શરીરમાં પાંચ ઇન્દ્રિયો છે. પરંતુ તે ઇન્દ્રિયોને સાધન બનાવનાર આત્મા, તે ઈદ્રિયથી જુદે છે, કારણ કે ઇન્દ્રિયદ્વારા આત્મા રૂપ, રસ આદિનું જ્ઞાન કરે છે. ચક્ષુથી રૂપ જુએ છે, જીભથી રસગ્રહણ કરે છે, નાકથી મધ લે છે, કાનથી શબ્દ સાંભળે છે અને ત્વચા (ચામડી ) થી સ્પર્શ કરે છે. દૃષ્ટાંત તરીકે જેમ ચપુથી કલમ બનાવાય છે, પણ ચપ્પ અને બનાવનાર એ બે જુદા છે, દાતરડાથી કપાય છે, પણ દાતરડું અને કાપનાર એ બે જુદા છે, દીવાથી જેવાય છે, પણ દી અને જેનાર એ જુદા છે, તેવી રીતે ઈધિથી રૂપ, રસ વગેરે ગ્રહણ કરાય છે, પણ ઇંદ્રિય અને વિષયને ગ્રહણ કરનાર એ જુદા છે. સાધકને સાધનની અપેક્ષા છે. પણ એથી સાધક અને સાધન એ બે એક હેઈ શકે નહિ. ઈન્દ્રિયો આત્માને જ્ઞાન પ્રાપ્ત થવામાં સાધનભૂત છે, પણ એથી સાધનભૂત ઇન્દ્રિો અને સાધક આત્મા એ એક હોઈ શકે નહિ. એ સિવાય એ પણ યાદ રાખવું જોઈએ કે ઈન્દ્રિય એક નથી, કિન્ત પાંચ છે; એથી ઈન્દ્રિયોને આત્મા માનવા જતાં પાંચ આત્માઓ એક શરીરમાં થઈ પડે છે. આ હકીકત ઈચ્છવા જોગ નથી. ' બીજી રીતે જોઈએ તે, જે મનુષ્યની ચક્ષુ ચાલી ગઈ હોય છે, તેને પણુ ચક્ષુની હૈયાતીમાં પૂર્વે દેખેલા પદાર્થો યાદ આવે છે સ્મૃતિમાં ઉપસ્થિત થાય છે; આ હકીકત આત્માને થિી જુદો નહિ માનવામાં બની શકે નહિ, કારણ કે ચક્ષુથી દેખાયેલી વસ્તુઓનું સ્મરણ ચક્ષુના અભાવે ન ચક્ષુથી થઈ શકે તેમ છે, ન બીજી ઈન્દ્રિયોથી થઈ શકે તેમ છે; બીજી ઈન્દ્રિથી સ્મરણ નહિ થવામાં કારણ એ છે કે એક મનુષ્ય દેખેલી વસ્તુને જેમ બીજે મનુષ્ય સ્મરણ કરી શકતા નથી, તેવી રીતે ચક્ષુથી દેખાયેલા
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy