SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલે ક. કરવામાં "" નીચે પડે અને સ્ત્રીઓનાં ખેડાં તેણીના માથેથી પડી જાય, એ દેખીતુ છે. આ પ્રમાણે દરેક જગ્યાએ પોતાના લક્ષ્યબિન્દુને સ્થિર રાખવાની આવશ્યકતા છે. આત્મકલ્યાણને માટે પણ જે કાંઇ ક્રિયા આવે છે, તેમાં પણ મૂલ ઉદ્દેશ ખરાબર સમજવા જોઇએ. “ અમુક ક્રિયા હું શા માટે કરૂં છું ? એ દરેકે અન્તર્દષ્ટિથી વિચારવાનું છે. હમેશાં ખાદ્ય સાધતા આભ્યન્તર સાધતાને પુષ્ટિ આપનારાં હાવાં જોઇએ; એટલે ખાદ્ય સાધનાના ઉદ્દેશ આભ્યન્તર સાધનાની પુષ્ટિ કરવાને હાય છે. ખીજા શબ્દોમાં, બાહ્ય સાધતા આભ્યન્તર સાધતાને વિકસિત કરવાને માટે સેવવામાં આવે છે. આમ હેાવા છતાં પણ જે બાહ્ય સાધનામાં એવી રીતે મચી રહેવામાં આવે કે જેથી ઉદ્દેશ્યના લગારે સ્પર્શી ન થાય, તા ખૂબ યાદ રાખવુ જોઇએ કે એથી સફલતા મેળવી શકાશે નહિ. મનની સ્વચ્છતા અને સત્તનની પુષ્ટિ માટે ધાર્મિક ક્રિયાએ કરવાની હાય છે. આમ હાવા છતાં પણ જો ધાર્મિક ક્રિયા કરતાં મનની સ્વચ્છતા અને સનની પુષ્ટિના ઉદ્દેશ ભૂલી જવામાં આવે, તે સમજી રાખવુ જોઇએ કે આખી જિન્દગી સુધી એવી લક્ષ્યચ્યુત ક્રિયા કરવા છતાં પણ તેનું પરિણામ ‘શૂન્ય ' સિવાય બીજું કશું આવતું નથી. આપણે જોઇએ છીએ કે ભગવાનની પૂજા–સેવા અને ધર્મક્રિયા કરનારાઓમાંના કેટલાકા એવા હાય છે કે જેઓનુ વન આપણને ત્યાંસુધી ખેદ ઉપજાવે છે કે એવાઓને ‘ ધર્માંન્ધ ’ કે ‘ ધર્મ ઠગ ' માનવાને આપણું મન તૈયાર થાય છે, આનું કારણ શું ? આનું કારણ એજ કે ધાર્મિક ક્રિયા કરવા છતાં પણ એએ એવા મિલનચિત્તવાળા રહ્યા કરે છે કે હડહડતુ અસત્ય ખેલતાં કે ખેાટા ખાટા હિસામે કરી ભેાળા જીવાને ગળે હ્યુરી ફેરવતાં પણ એ આંચકા ખાતા નથી. જ્યાં આવી મલિનવૃત્તિ કે આવી પાપવાસના હાય, ત્યાં આપણુતે તેવાઓની ધાર્મિક ક્રિયાઓનું પરિણામ સારૂં જણાય ખરૂ ? આપણને જો કે આછ્યું થઇ જાય છે કે પ્રતિદિન સેવા-પૂજા અને ક્રિયાઓ કરવા છતાં પણ ઠગવાની, થાપણ આળવવાની, ગરીબ માણસાનાં ઘર ઉખાડી નાંખવાની અને એવી ખીજી અનેક ભયંકર પાપવૃત્તિએ મનુધ્યાનાં હૃદયામાં કેમ રહેતી હશે ? પણ એ ખુલ્લી વાત છે કે આત્મશ્રેય તરફ દષ્ટિ ગયા વગર–ઉદ્દેશ યા લક્ષ્યબિન્દુને સ્થિર કર્યાં વગર જે 18
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy