SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL Ligir. કારણ તેની જડતા છે; તેજ પ્રમાણે જેઓનું જ્ઞાન કર્તવ્યય્યત છે, તેવાએને ઉપદેશ બીજાઓને અસર કરનાર થવા છતાં પિતાના આત્મામાં અસર ઉત્પન્ન કરતો નથી, તેનું કારણ પણ બીજું શું કહી શકાય-એજ કહી શકાય કે તેઓ પણ પેલી રેકર્ડોના સફેદર છે. “ ત્ય' જેવું કરનારા ઉપદેશકોએ (orators) બીજાઓને ઉપદેશ આપવાની સાથે જ તે ઉપદેશ પિતે પણ ધારણ કરવાનું છે. બીજાઓ ઉપર પ્રકાશ નાંખનાર, જે પોતે અંધારામાંથી બહાર ન નિકળે, તે એ મશાલચીના ભાઈબંધ થવા જેવી હકીકત છે. બીજાઓને સમજાવવા હજારે લોકો તૈયાર થાય છે અને હજાર વક્તાઓ બીજાઓ ઉપર પિતાના ઉપદેશની સચોટ છાપ પણ પાડે છે, પરંતુ પિતા-પિતાના આત્માને સમજાવવો, એજ ખરી બહાદુરી છે. પ્લેટફોર્મ ઉપર સિંહની જેમ ગાજતા લીડરે, સમાજ સુધારકે દેશભતિ માટે પૂર જોશથી ભાષણ આપે છે, પણ તેમાંના કેટલાકની પ્રવૃત્તિ એવી જોવાય છે કે ભાષણ પૂરું થયું કે તરતજ તેઓ સીધા હોટલમાં જઈ અભક્ષ્યનું ભક્ષણ કે અપેયનું પાન (જે પિતાના ઉપદેશથી વિરૂદ્ધ છે) કરવા લાગી જાય છે. અફસ!! ખરેખર– “ મારે કહેવું છે કાંઇ, મારે કરવું છે કાંઈ, એમ કરી ભવજળ તરવે છે ભાઈ ! ” વ્યાખ્યાન કરનારાઓમાંના કેટલાક મહાત્માઓ એવું સુલલિત વ્યાખ્યાન આપે છે કે જે સાંભળી આખી સભા એક વખત વૈરાગ્ય રસમાં તરબોળ થઈ જાય છે, અને તેવા વ્યાખ્યાનવાચસ્પતિ મહારાજની આંખમાંથી જ્યારે વિરાગ્યને દેખાવ આપનારાં અશ્રુઓ નિકળવા માંડે છે, ત્યારે સભામાં બેઠેલાઓની પણ આંખો આંસુઓ રેડવા માંડે છે. આવી રીતે વિવિધરસપૂર્ણ વ્યાખ્યાનોથી સભાને આકર્ષણ કરનારાઓની પણ અંદરખાને જે જુદીજ પ્રવૃત્તિ હેય-ખરાબ વર્તન હોય, તે તેવાઓનું કલ્યાણ શું કદાપિ થઈ શકે ? આ આત્મા શાને પંડિત તે અનન્તવાર બન્યો હશે! પ્રચંડ વિદત્તાના પ્રતાપથી અનન્તવાર સર્વત તરીકે કહેવાણે હશે? અને વ્યાખ્યાનવાચસ્પતિ જેવાં સહસ્ત્ર ટાઈટલે ગળા ઉપર લટકાવી મહેદી મટી સભા _1.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy