SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ તા હોય છે. તેઓને દ summerservices આપૃચ્છા સામાચારી છે ગુરુઃ તારી ત્રણેય બાબતોના હું ક્રમશઃ ઉત્તર આપીશ. (૧) એ વાત સાચી છે કે ગુરુ કંઈ દર વખતે વિધિનું નિરૂપણ કરવાના નથી જ. પુછનારો શિષ્ય મોટો છે જ હોય, ભણેલો હોય તો ગુરુ એને “હા” કહ્યા સિવાય એકેય અક્ષર નથી કહેવાના. પરંતુ તું એ ભૂલી ગયો લાગે છે છે છે કે જિનશાસનને સ્પર્શેલા મુનિવરો પોતાના અનંત ઉપકારી ગુરને ભગવાન જેવા માનતા જ પોતાના ગુરુ પ્રત્યે અપરંપાર બહુમાનભાવ હોય છે. રે ! આ મુનિવરો તો ગૌતમસ્વામીના વશજો છે. કે છે પરમાત્માના મુખે પોતાનું નામ સાંભળીને જે ગૌતમસ્વામીને સાડા ત્રણ કરોડ રૂંવાડાઓમાં હર્ષોલ્લાસ વ્યાપી છે જતો. એ ગૌતમસ્વામીના વંશજ એવા સુસાધુઓ અનંતોપકારી ગુરુના વચનો ઉપર અતિશય શ્રદ્ધાવાળા હોય છે છે જ. એમાં શંકાને સ્થાન નથી. છે અને માટે જ જ્યારે તેઓ પોતાના ગુરુને કાપ કાઢવાદિ કોઈપણ કામ પુછે અને તે વખતે ગુરુ માત્ર એટલું કે આ જ કહે કે, “હા ! તું કર. મારી રજા છે.” બીજું કંઈ જ ન બોલે. તો પણ આ શિષ્યોનો હર્ષોલ્લાસ ખૂબ વધી છે 8 જાય.” મારા ગુરદેવે મને આ કાર્યમાં રજા આપી છે. એટલે હવે મને આ કામમાં સફળતા મળશે જ. મારા છે 8 ગુરુના આશીર્વાદ નિષ્ફળ ન જાય. વળી ગુરએ રજા આપી એટલે આ કામ મને હિતકારી જ બનશે. માટે હવે મ તો આ સ્વાધ્યાયાદિ કાર્યમાં બરાબર લાગી પડું.” આવો પરમ ઉલ્લાસ એ શિષ્યોને થાય. # શિષ્ય ! આ વાત તો એ જ સમજી શકશે કે જે શિષ્યો ખરેખર ગુરુ પ્રત્યે અતિશય બહુમાનવાળા હશે. જે છે તે શિષ્યોને તો “ગુરુની આ કાર્યમાં અનુમતિ છે એટલું જ માત્ર જ્ઞાન શુભભાવોની ધારાને ઉત્પન્ન કરી દેનારું છે A બને છે. આ મારા માટે અનુભવ સિદ્ધ હકીકત છે. જ્યારે પણ મેં ગુરુને કોઈ કાર્યની પૃચ્છા કરી છે અને ગુરુએ 6 છે માત્ર અનુમતિ આપતો શબ્દ કહ્યો છે. ત્યારે પણ મારો હર્ષોલ્લાસ, વીર્ષોલ્લાસ, કામ કરવાની ધગશ વધી છે. 8 છે અને એ થાય એટલે કાર્યના પ્રતિબંધક એવા કર્મોનો વિનાશ, પુણ્યકર્મનો બંધ વગેરે મેં બતાવેલા લાભો ત્યાં 8 છે પણ થાય જ છે. એટલે ગુરુ વિધિનું નિરૂપણ ન કરે તો પણ ગુરુબહુમાની સુસાધુઓને તો મેં બતાવેલા તમામ લાભો 8 છે આપૃચ્છા દ્વારા મળવા શક્ય છે જ. માટે જ ભલે ઘણા શિષ્યોનો સ્વયં ગુરુ હોય, ભલે ગીતાર્થ બની ચૂક્યો 8 A હોય તો પણ એ મુનિએ પોતાના ગુરુને પુછી-પુછીને જ બધા કાર્યો કરવા જોઈએ. - છે વળી તું એમ કહે છે કે “નૂતન દીક્ષિતોએ પુછી-પુછીને કામો કરવા. વડીલોએ પુછવાની જરૂર નથી.” છે છે જ્યારે મને તો એમ કહેવાનું મન થાય છે કે વડીલોએ તો અવશ્ય ગુરુને પુછી-પુછીને કામ કરવા જોઈએ, કેમકે છે વડીલો જ જો ગુરુને પૂછ્યા વિના કાર્યો કરશે તો નાના સાધુઓમાં સારા સંસ્કાર શી રીતે પડશે? તેઓ પણ છેધીમે ધીમે ગુરુને પૂછ્યા વિના જ બધા કાર્યો કરતા થઈ જશે. નાનાઓ તોં વડીલોને જોઈ જોઈને બધું શીખતા છે જ હોય છે. પ્રાયઃ એવું જોવા મળે છે કે જ્યાં વડીલો જેટલાં સુંદર આચારો પાળે છે. ત્યાં નાનાઓ પણ એટલા છે જ સુંદર આચારો પાળે છે. જ્યાં વડીલો જેટલી શિથિલતાઓ આચરે છે, ત્યાં નાનાઓ પણ એટલી શિથિલતાઓ છે શ આચરતા થઈ જાય છે. જ્યાં વડીલો જલ્દી જલ્દી કાપ નથી કાઢતા, આંબિલાદિ તપ કરે છે, વિગઈઓથી દૂર ભાગે છે. છે સ્વાધ્યાયમાં લીન રહે છે, વાડા વગેરેનો ઉપયોગ નથી કરતા, મુહપત્તીનો ઉપયોગ રાખે છે... ત્યાં નાનાઓ જ પણ એ જ બધું કરતા થઈ જાય છે. માટે જ અત્યારે એક ગચ્છ એવો છે કે જેના ગચ્છાધિપતિ જ્યારે પણ વાચનામાં કહે કે, “આ બાધા લેવા જેવી છે” ત્યારે ૧૫-૨૦ સાધુના એ ગ્રુપમાં સૌથી મુખ્ય આચાર્ય જ ત્યારે છે હાથ જોડીને ગચ્છાધિપતિશ્રીને કહે કે “સાહેબ ! મને પહેલા બાધા આપો.' સ્વાભાવિક છે કે આચાર્યશ્રી બાધા લે એટલે બાકીના નાના મુનિઓ તો બાધા લેવાના જ. sss સંગમ રંગ લાગ્યો - આછા સામાચારી ૦ ૨૧૯
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy