SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ મિચ્છાકાર સામાચારી એના ફળ ભોગવવા ન પડે. બાહુ-સુબાહુ ઈર્ષ્યા, ગુરુ પ્રત્યે અસદ્ભાવ સેવતી વખતે છેક મિથ્યાત્વ પામ્યા. માટે જ તો સ્ત્રીવેદ બાંધ્યું. એટલે એ પાપોમાં એમની તીવ્રતા ખૂબ હતી. પણ એ પછી તરત પરિણામો શુભ થવાથી છઠ્ઠા ગુણસ્થાને આવી પણ ગયા, પશ્ચાત્તાપ-મિ.દુ. પણ કર્યા. પણ એમાં પશ્ચાત્તાપાદિના પરિણામો પાપના પરિણામની તીવ્રતા કરતા ઓછા હતા. માટે જ એમના પાપો નાશ ન પામ્યા અને સ્ત્રી-અવતાર મળ્યો. શિષ્ય : તેઓ મિથ્યાત્વ પામ્યા બાદ પાછા છઠ્ઠ ગુણસ્થાને આવી ગયેલા હતા એની શી ખાતરી ? ગુરુ : તેઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. અને ત્યાં તો સાચા સાધુ સિવાય કોઈનો પણ ઉપપાત થતો નથી. મને તો લાગે છે કે એ છઢે આવી ગયા માટે જ સ્ત્રી-અવતાર પામવા છતાં એ જ ભવે મોક્ષ પામ્યા. જો ઈર્ષ્યાદિ દોષો સેવ્યા બાદ મિથ્યાત્વે જ રહ્યા હોત તો તો અનુત્તરમાં ઉત્પત્તિ કે એ પછીના ભવમાં મોક્ષ ન થાત. પાપો કર્યા બાદ મિ.દુ. આપવાથી પાપો ધોવાઈ જાય ખરા. પણ આ રીતે પાપો વારંવાર થાય તો પછી નિષ્ઠુરતા ઘુસી જવાની ઘણી શક્યતા છે. પછી મિ.દુ.ની તાકાત પણ ઘટી જતી હોય છે. માટે પાપો કરીને મિ.દુ. આપવું એના કરતાં તો પાપો કરવા જ નહિ એ શ્રેષ્ઠ માર્ગ છે. માટે જ શાસ્ત્રકારો કહે છે કે ઉત્સર્ગ માર્ગે તો પાપો કરવા જ નહિ એ જ પ્રતિક્રમણ છે. પાપો થઈ જ જાય તો પછી મિ.દુ. દેવું એ અપવાદમાર્ગનું પ્રતિક્રમણ છે. શિષ્ય : પાપ જ ન કરીએ તો પાપો ઉપર રડવાનો અવસર જ ન આવે. અમને તો પાપ કર્યા પછી પુષ્કળ પશ્ચાત્તાપ જાગે છે. એમાં આત્મા ખૂબ હચમચી ઊઠે છે. એમાં અસંખ્ય ભવોના પાપકર્મો ખલાસ થતા હશે. પાપ જ ન કરીએ તો આ બધા લાભો ન મળે. એટલે ખરેખર તો પાપ થઈ જાય એ જ વધારે સારું જેથી એના ઉપર મિ.દુ. આપીને, રડીને વધુ શુદ્ધિ મેળવી શકાય. ગુરુ : વાહ ! તેં કુતર્ક સારો કર્યો. પાપ કર્યા બાદ મિ.દુ.માં જ સંવેગ જાગે અને નિષ્પાપ જીવન જીવવામાં સંવેગ ન જાગે, ઓછો જાગે એવું ગણિત તેં શી રીતે માંડ્યું ? મન-વચન-કાયાથી કોઈ પાપ ન કરવું એ સૌ પ્રથમ જિનાજ્ઞા છે. એ જિનાજ્ઞા પાળવામાં પ્રચંડ કર્મક્ષય થાય જ, શુદ્ધિનો ભંડાર પ્રગટ થાય જ. ‘પાપ કર્યા પછી મિ.દુ. આપવું' એ જિનાજ્ઞા તો ના-છુટકાની છે, અપવાદ માર્ગની છે. શિષ્ય : પશ્ચાત્તાપની ધારામાં કુરગડુ, મૃગાવતી, ચંડરુદ્રાચાર્યના શિષ્ય વગેરેને કેવલજ્ઞાન મળ્યું છે. એટલે એમ માનવું જોઈએ કે નિષ્પાપ જીવન કરતા પાપ કર્યા પછીના પશ્ચાત્તાપાદિવાળું જીવન વધુ આત્મશુદ્ધિ કરી આપે. ગુરુ : તને આ બધા દૃષ્ટાન્ત દેખાયા. પણ નિષ્પાપ જીવન જીવનારા કરોડો-અબજો મુનિઓ સિદ્ધાચલ વગેરે સ્થળે કેવલજ્ઞાન પામ્યા છે એ કેમ ન દેખાયું ? વળી પાપો કર્યા કરવા અને મિ.દુ. આપ્યા કરવા એમાં ઘણા મોટા ભયસ્થાનો છે જ, નિષ્ઠુરતા ઘુસી જવાની શક્યતા પડી છે. માટે ભૂતકાળમાં પાપ થઈ જ ગયા હોય તો એના ઉપર રૂદન કરી વધુ નિર્જરા મેળવવી સારી. પણ એ રૂદન દ્વારા નિર્જરા મેળવવા માટે જાણી-જોઈને પાપ કરવું, પાપ થઈ જાય તો સારું એવી ઈચ્છા કરવી એ તો નરી મુર્ખતા છે. છેલ્લી વાત. જે સાધુ પાપત્યાગનો - નાના નાના કોઈપણ અતિચારો ન સેવાઈ જાય એનો તીવ્ર પ્રયત્ન કરતો હોય અને ક્યારેક પ્રમાદથી, અનાભોગથી, કર્મોદયાદિથી પાપ કરી બેસે તો તેને માટે મિથ્યાકા૨ સામાચા૨ી ખૂબ જ ઉપયોગી છે. પણ જે સાધુ જાણી- જોઈને પાપ કરે અથવા વારંવાર પાપો કરે એ ખરેખર નિષ્ઠુર જ જાણવો. વારંવાર પાપો અનાભોગાદિથી ન થાય પણ નિષ્ઠુરતાથી થાય. એ સાધુ મિ.. સામાચારી માટે લાયક નથી. (પશ્ચાત્તાપ સાચો હોય તો સત્યકી જેવાને વ્યવહારમાર્ગે મિ.દુ. પણ હિતકારી જાણવું.) સંયમ રંગ લાગ્યો મિચ્છાકાર સામાચારી છે ૨૫૦
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy