SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ [ ૫૩ નામાં વૃદ્ધિ થાય છે. સત્સંગનું માહા... એટલું બધું છે, કે આ ગ્રન્થ લખીએ તે પણ સંપૂર્ણ રીતે તે દર્શાવી શકાય નહિ. કવિ ભર્તૃહરિ લખે છે કે – जाड्यं धियो हरति सिंचति वाचि सत्य। मानोन्नति दिशति पापमपाकरोति ।। चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति । सत्संगतिः कथय किं न करोति पुंमाम् ॥ સત્સંગ, બુદ્ધિની જડતા હરે છે, વાણીમાં સત્ય સિંચે છે, માન અને ઉન્નતિને માર્ગ દર્શાવે છે, પાપને દૂર કરે છે, ચિત્તને નિર્મળ કરે છે, દિશાઓમાં કીર્તિને ફેલાવે છે; કહો કે સત્સંગ શું નથી કરી શકતો ? ટીકાકાર લખે છે કે – यदि सत्संगनिरतो भविष्यसि भविष्यसि । अथासज्जनगोष्ठीषु पतिष्यसि पतिष्यसि । જે સારા પુરૂષોની સોબતવાળો થઈશ તે અશ્વર્યવાળ થઇશ, અને જો તું અસત્ પુરૂષની સોબતમાં પડીશ તો તું સર્વએશ્વર્યથી પતિત થઈશ એટલે સુખ મેળવી શકીશ નહિ, માટે સત્સંગ સેવવો. માતા-પિતા પૂજન –તથા માતૃપિતૃપૂતિ રૂા. અર્થ––માતાપિતાની પૂજા કરવી. ભાવાર્થ –ભારતભૂમિ કે જે આર્ય આચારને લીધે પ્રસિદ્ધ છે તેમાં માતા-પિતાની ભક્તિ એ ઉત્તમ આચરે છે. જે દિવસે પિતાના રાજ્યાભિષેક માટે સઘળી તૈયારીઓ થઈ રહેલી છે, ચારે બાજુ આનંદ વ્યાપી રહેલે છે, તે જ દિવસે પોતાના પિતાનું વચન રાખવા રાજપાટ મૂકી વનવાસમાં ચૌદ વર્ષ સુધી
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy