SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] ધષ્મિ દુ કરેલું શુભ અથવા અશુભ અવશ્ય ભાગવતુ જ પડે છે; સેંકડા—કરાડા પકાળ પસાર થાય, તાપણુ કરેલું કમ ભાગવ્યા વિના નાશ પામતું નથી. માટે કર્માંના નિયમમાં પ્રતીતિ રાખી. અન્યાય આચરણથી વિમુખ રહેવું, તેમાં આત્મધ્યેય રહેલુ છે. જો મનુષ્ય વિચારવંત હાય, તે તેને અન્યાયયુક્ત પ્રવૃત્તિ બંધ કરવાનાં ઘણા કારણા છે. કોઈ પણ રીતે તેવી પ્રવૃત્તિ તે સંભવી શકતીજ નથી કહ્યુ` છે કે— राजदण्डभयात्पापं नाचरत्यधमेा जनः । परलोकभयान्मध्यः स्वभावदेव चातमः || અધમ પુરૂષ રાજદંડના ભયથી, મધ્યમ પુરૂષ પરલેાકના ભયથી, અને ઉત્તમ પુરૂષ તા સ્વભાવથીજ પાપકર્મ કરતા નથી. જે ઉત્તમ પુરૂષા છે, તેમનેા તા સ્વભાવ જ તેમને ન્યાય તરફ પ્રેરે છે. તેઓ તેા, સવ આત્મા સત્તાએ એક સરખા જ છે,. એ અચળ સિદ્ધાન્તને અનુભવનારા છે. જ્યારે આત્મા સર્ખા છે,. તેા પછી બીજા આત્માને છેતરવામાં શું આપણે આપણી જાતનેજ નથી છેતરતા ? વળી અન્યાય આચરણથી વિશ્વાસધાત થાય છે. અન્ય. જીવને દુઃખ થાય છે, અને પોતે તેવી સ્થિતિમાં હેય તા પેાતાને કેટલુ દુઃખ થાય તેના વિચાર કરીને બીજા પ્રાણીને અશાન્તિ થાય, ઉદ્વેગ થાય, તેવુ અશુભ કાર્ય ઉત્તમ પુરુષા કરે જ નહિ. આવા. બધા વિચારી તેમના હૃદ્યમાં રમણતા કરે છે. તેથી પાપાચરણ તા. તેમના સ્વભાવને જ વિરુદ્ધ લાગે છે, અને તેમની પ્રવૃત્તિ અહતિ શું પરીપકારમય ન્યાયાચરણ તરફજ થાય છે. જે મધ્યમ વર્ગના પુરૂષો છે, તેઓના સ્વભાવ હજી ન્યાયમય. થયેલા નથી, લાભ અને ન્યાય બુદ્ધિ વચ્ચે તેમના હૃદયમાં ભારે યુદ્ધ થાય છે. લાભ તમને તાત્કાલિક લાભ દેખાડી અન્યાયી વન કરવા પ્રેરે છે, ત્યારે ન્યાયમુદ્ધિ ભવિષ્યમાં અન્યાયથી ઉત્પન્ન થતા અનિષ્ટ.
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy