SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ ] ધર્મબિન્દુ ભાવાર્થ-જ્યારથી પ્રભુ જન્મે છે, ત્યારથી તેમના નિર્વાણ કાળ સુધી જુદા જુદા સમયે દેવેન્દ્રો, દે, નરેન્દ્રો અને સામાન્ય મનુષ્યો આ ભગવાન છે એમ જાણી ભકિત કરે છે, પૂજા કરે છે અને તે - ભક્તિ વડે તેઓને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે; આવી રીતે • તીર્થંકર પદ ત્રણ જગતના જીવને ઉપકાર કરનારું નીવડે છે. तथा प्रातिहार्योपयोग इति ॥१७॥ અર્થભગવાનને આઠ પ્રતિહાર્ય પ્રાપ્ત થાય છે. ભાવાર્થ-ધર્મના ઉત્કૃષ્ટ ફળ તરીકે તીર્થકરને આઠ મહા પ્રતિહાર્યો મળે છે. રાજસભાના અથવા શ્રીમંતના બારણું આગળ જે મનુષ્ય ઉભું રહે છે, તેને દ્વારપાળ અથવા પ્રતિહારી કહેવામાં આવે છે; તેમ ભગવાન જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં તેમની સાથે આઠ પ્રતિહારીઓ પણ છે. તેઓનાં નામ નીચેને લેકથી જણાશે. अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यो ध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ અશોક વૃક્ષ, દિવ્ય પુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન ભામંડલ, દુભિ અને છત્ર-એ તીર્થકરના મહા પ્રતિહારી છે. ततः परं परार्थकरणमिति ॥१८॥ અર્થ-બીજાનું ઉત્કૃષ્ટ કલ્યાણ કરનાર તીર્થકર પદ છે. ભાવાથ–બીજાનું કલ્યાણ કરવાને ઉત્કૃષ્ટ માર્ગ ઉપદેશ છે. અને તે ઉપદેશ તીર્થકર પિતાની સુધાતુય વાણીવડે આપે છે; સર્વ કેઈ તે વાણું પિતપોતાની ભાષામાં તરત સમજી જાય છે. અને ચારે બાજુ એક જન સુધી સંભળાય છે. તેવી વાણી વડે કેવળજ્ઞાન દ્વારા જાણેલા ભાવને બોધ શ્રોતાવર્ગની ગ્રહણ કરવાની
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy