SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ ] ધમબિન્દુ ભાવાર્થ-જે દ્રવ્યયતિ છે, તે સંજમ પાળવા માટે અશક્ત છે, એમ જે પ્રથમના સૂત્રથી જણાવ્યું તે દષ્ટાન્ત માત્ર છે. માટે તે ઉપરથી એમ ન સમજી લેવું કે દ્રવ્યયતિ સંજય પાળી શકેજ નહિ. न सर्वसाधर्म्ययोगेनेति ॥७२॥ અર્થ–સર્વ સાધમ્યગથી ઉપરનું દષ્ટાંત કહેલું નથી. ભાવાર્થ-જે બેની વચ્ચે સરખમાણ કરવામાં આવે છે, તે સર્વ અંશની સરખામણી નથી, પણ કેટલાક અંશયી છે, એ ધ્યાનમાં રાખવું. એ દષ્ટાન્તમાં સરખાપણું નથી એમ શા કારણથી કહી શકે છે એવી શંકાના નિરાકરણ અર્થે શાસ્ત્રકાર લખે છે કે – यतेस्तदप्रवृत्तिनिमित्तस्य गरीयस्त्वादिति ॥७३॥ અર્થ -( અનુચિત કાર્યમાં) અપ્રવૃત્તિનું નિમિત્ત ભાવયતિ, તે મુખ્ય છે, માટે સર્વ અંશમાં સરખાપણું નથી.) ભાવાર્થ-ભાવસાધુ અનાચાર સેવન વગેરે અઘટિત કાર્યમાં પ્રર્વતત નથી, તેનું કારણ સમ્યગ્દર્શનને પરિણામ છે, અને તે સમ્યગ્દર્શન અનુચિત કાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર મિથ્યાત્વ કષાય વગેરેથી વધારે મહત્ત્વનું છે, કારણ કે સમ્યગ્દર્શન એ આત્માને સ્વાભાવિક ગુણ છે, અને મિથ્યાત્વ કષાય વગેરે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા આત્માના અસ્વાભાવિક ગુણો છે; માટે સ્વાભાવિક ગુણ તે અસ્વાભાવિક કરતાં વધારે મહત્વને હેય તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. તેજ બાબત શાસ્ત્રકાર પણ જણાવે છે - वस्तुतः स्वाभाविकत्वादिति ॥७४॥ અર્થ–ખરેખર (સમ્યગ્દર્શન વગેરે) આત્માના સ્વાભાવિક ગુણે છે માટે તેનું મહત્વ પણું છે.)
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy