________________
૧૮૬ ]
ધ
બન્દુ
પ્રશ્નઃ—ધમ ના ઉપદેશ કરવાથી પણ જો સાંભળનારને સ્વકમ - દોષથી જ્ઞાન ન થાય, તેા ધર્મ કહેવાનું ફળ શું? તેના જવાબ શાસ્ત્રકારજ આપે છે:
अबोधेऽपि फल प्रोक्तं श्रोतॄणां मुनिसत्तमैः ॥ कथकस्य विधानेन नियमाच्छुद्धचेतसः ||
અથ—જો કે શ્રોતાને લાભ ન થાય તે પણ શુદ્ધ ચિત્તવાળા ઉપદેશકને તો ઉપદેશ આપવાની ક્રિયાથી ફળ નિઃસ'શય થાય છે, એમ ઉત્તમ મુનિ કહે છે.
ભાવા—જે મનુષ્ય પર પકાર બુદ્ધિથી, બીજાના ઉપર અનુગ્રહ કરવાની વૃત્તિથી સોધ આપે છે તેને તેા તેના આવા ઉચ્ચ ભાવના કારણે નક્કી ફળ મળે છે; અને વક્તાને પણ જો કે તે સમયે મેધની અસર થયેલી જણાતી નથી; પણ તેના હૃદયમાં તેના સંસ્કાર પડયા વિના રહેતા નથી; અને તેથી સદુપદેશ પ્રમાણે ન વવાથી તેને માથે દુ:ખ આવે છે, અને દુ:ખનેા કડવા અનુભવ મેળવીને સન્માર્ગે વળે છે, ત્યારે એકલેા અનુભવ અસર કરી શકત તેના કરતાં આ ઉપદેશના રહ્યાસઘા સસ્કારા વધારે અસર કરે છે. માટે શ્રોતા ઉપર પણ પ્રાયઃ તેની બીલકુલ અસર નથી થતી એમ તા નજ કહેવાય. વળી આ વિષયના સંબંધમાં તત્ત્વાં સૂત્ર' માં લખ્યું
છે કેઃ—
न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । बुतोऽनुप्रबुद्धया वक्तुस्त्वेकान्ततो भवति ।।
હિત વાકય સાંભળવાથી સ` સાંભળનારાને સ થા ધમ સિદ્ધ થતા નથી, પણ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ કરનારને તા સવયા ધર્મના લાભ થાય છે; એટલે કિલષ્ટકમ ની નિર્જરા થાય છે.