SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૨ [ ૧૩૩ પુરૂષ જાણી શકતા નથી. બીજા શબ્દોમાં કહીયે તા મરણ પથારીએ પડેલા મનુષ્યને ઔષધની અસર થતી નથી, તેમ મૂઢ પુરૂષને સદુપદેશની અસર લાગતી નથી. ખંડિત પુરૂષ કષ્ટ પામેલેા હોય તે પણ પૂજા સત્કારથી પ્રતિખાધ પામે છે, પણ મૂઢ પુરૂષ તે દુ:ખી અવસ્થામાં હોય તા પણ પાણીમાં શિક્ષાની જેમ ખૂડે છે, અર્થાત્ તે સ્થિતિમાં શું કરવું તે ન જાણવાથી હલકા કર્મો કરવા પ્રેરય છે. પડિત પુરૂષ તા સમજે છે કે સુખ પછી દુઃખ આવે છે, કાઈને આ જગતમાં એકાન્ત સુખ તેમજ એકાન્ત દુ:ખ નથી. માટે સુખ આવ્યે મગરૂર ન થવું તેમ દુ:ખ આવે ખિન્ન ન થવું, પણ મનનું સમાધાન પણું જાળવી રાખવું. આ રીતે મૂઢતાના ગેરલાભ બતાવી તેને। ત્યાગ કરવા ઉપદેશ કરવા. મેહતા અજ્ઞાન કે મૂઢત સિવાય બીજો પણ અર્થ થાય છે. જેને લાધે સ`સારના પદાર્થો તેમજ આત્માની ઉપાધિ પ્રત્યે રાગ થાય છે તે અજ્ઞાનભાવને શાસ્ત્રકારે મેાહ કહે છે. આત્મા અને દ્રવ્ય ભિન્ન છે એવા ખાત્રી મેાહને લીધે થતી નથી, અને તેથી દ્રવ્યરૂપ પરવસ્તુને આત્મા પેાતાની માનવા પ્રેરાય છે, અને અંતે દુ:ખ પામે છે. નિજરૂા નિજ વસ્તુ છે, પરૂપા પરવત; જેણે જાણ્યે પ્રેમ એ, તેણે જાણ્યું સમસ્ત વિનાશી પુદ્ગલ દશા, અવિનાશી તુ. આપ; આપેાઆપ વિચારતાં, મઢે પુણ્ય ને પાપ આવા વિચાર મેાહને લીધે આવતા નથી, અને તેથી સ ંસારમાં રખડવું પડે છે, એમ સમજાવી મેહના ત્યાગ કરવા એધ આપવે. યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે जन्म मृत्यु जराव्याधि रोग शोकाद्युपद्रुतम् । वीक्ष्यमाणा अपि भवं नोद्विजन्त्यपि मोहतः ||१||
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy