SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદેશના. * પછી પુરોહિત વિસ્મય પામીને શેક વિનાની પેલી ભરવાડણને પૂછવા લાગ્યા – હે બહેન! દહિં છાશ વિગેરેનાં બે ત્રણ વાસણ તોરા ભાંગી ગયાં તેથી તને આજે મેટી નુકશાની થઇ છે, છતાં તું રડતી કેમ નથી? » જરીક હાસ્ય કરીને તે પણ કહેવા લાગી:–“હે ભાઈ! માશ ન રડવાનું કારણ સાંભળજેમ બહુ ત્રણ છે તે કણ નથી, તેમ અતિ દુઃખ છે તે દુખ નથી. તેથી મારું હૃદય વજના જેવું કઠેર થઇ ગયું છે. માટે હું રડતી નથી. » તે સાંભળી આ બિચારીને તે શું મહાદુ:ખ પડ્યું હશે? એમ વિચારતાં તે વિપ્રવય પુરોહિતનું મન પીગળી ગયું એટલે તે પાછો તેને કહેવા લાગ્યા:–“હે બહેન ! હું તારૂં વૃત્તાંત સાંભળવા ઈ છું માટે મને યથાર્થ તારૂં વૃત્તાંત કહે છે - તે કહેવા લાગી:--“હે ભદ્ર! પિતાનું દુશ્ચરિત્ર કોઈને કહેવું એ પોતાને અને પરને બંનેને લજજાકારી થાય છે. માટે તે પિતાની જધાની માફક ઢાંકયું જ સારું છે છતાં પરદુ:ખજ્ઞ! નિરંતર સવનું હિત કરવામાં તારૂં મન તત્પર છે માટે મારું ચરિત્ર માત્ર તારા અને મારા સાંભળવામાં જ આવે એવી રીતે કહીશ, તે આ પાસેની વાડીમાં તું એકલે આવ.” તેનું વૃત્તાંત સાંભળવાની ઈચ્છાથી તેણીના કહ્યા પ્રમાણે તે બગીચામાં ગયે. પુરોહિતના સમાગમથી તે સ્નેહવતી અને રોમાંચિત થઇને હદયમાં વિધાસ લાવી પોતાનું અખિલ ચરિત્ર કહેવા લાગી: લક્ષમીતિલક નામના નગરમાં નિરંતર નિધનાવસ્થામાં રહેનાર, સર્વ વિદ્યામાં વિચક્ષણ વેદસાગર નામને બ્રાહ્મણ રહેતો હતો. રૂપ અને સિભાગ્યથી સુશોભિત અને પતિવ્રતારૂપ સગુણવાળી કામલક્ષ્મી નામની તેને પત્ની હતી. તેણીના વિનાચિત્યાદિ કૃત્ય અને સગુણેથી પ્રસન્ન રહીને આ જન્મનું દુસહ દારિયદુખ તે જાણતા ન હતા. તેમને પ્રથમ વયમાં જ સારા લક્ષણવાળે અને સૈભાગ્યનું સ્થાન વેદવિચક્ષણ નામે પુત્ર થયો હતો. તે લગભગ એક
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy