SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ યુગાદિદશના. પહેલેથી જ જાણું છું. કારણ કે બાલ્યાવસ્થામાં ક્રીડા કરતાં હું તેને સેંકડેવાર આકાશમાં ઉડાડતો હતો, અને પછી “અરે આ બિચારો મુ ” આ પ્રમાણે દેવતાઓના કહેવાથી નીચે પડતાં હું દયા લાવી તેને બે હાથથી અધર ઝીલી લેતો હતો. અત્યારે તે એશ્વર્યથી આ ચ્છાદિત થઈ ગયેલ છે, તેથી તે બધું ભૂલી ગયો હોય એમ મને લાગે છે કે જેથી તે આ પ્રમાણે મને આજ્ઞા કરે છે. આટલા તેના ઐશ્વર્યાને જે હું સહન કરૂં છું, એજ મારી સેવા છે. કારણ કે વાઘની પાસે તો એવુંજ મોકલવું, કે જેનું તે ભક્ષણ ન કરે. હવે છેવટે કહું છું કે, વી. રાભિમાની ભરત જે મારી સેવાને ઇચ્છતા હોય, તે એકવાર પિતા ની વીરવૃત્તિ સંગ્રામમાં મને બતાવે. માટે હે સુવેગ ! તુ વેગથી જઈને તારા સ્વામીને કહે કે, કેસરીસિંહ જેમ પલાણ ન સહે, તેમ બાહુબળિ તમારૂં શાસન (આશા) સહન કરતું નથી.” કમાણે, અમાત્ય અને સામાએ શોર્યથી સંગ્રામને સૂચવનારી એવી પિતાને સ્વામીની વાણી હર્ષોલ્લાસપૂર્વકજ કબુલ કરી લીધી. હવે પિતાના સ્વામીની આજ્ઞાથી ક્રોધાયમાન થયેલા છતાં અંગરક્ષકેએ તેને જીવતે જવા દીધે. એટલે સુવેગ કંઈક વૈર્ય પકડીને તરતજ સભામાંથી ઉઠી ચાલતો થયો. રસ્તે ચાલતાં તેણે આ પ્રમાણે નાગરિકેનું પરસ્પર બલવું સાંભળ્યું: આ નવે પુરૂષ કેણુ છે? એ ભરતને દૂત છે. તે ભરત કેણુ? બાહુબલિનો મોટેભાઈ. ત્યારે તે અત્યારે કયાં છે? અયોધ્યામાં રાજ્ય ભોગવે છે. તેણે અહીં આને શા માટે એક પિતાની સેવા કરવા બાહુબલિને બોલાવવા માટે. ત્યારે તે દુદેવથી હણાયેલો લાગે છે. કેમકે ત્રણ જગતને જીતનાર પિતાના નાનાભાઈના બાહુબળને શું તે મૂખ જાણતા નથી ? તે અનુભવજ્ઞાન તેને બાલ્યાવસ્થામાં હતું; પણ અત્યારે મીઠું બેલનારા પિતાના માણસેનાં વાક્યોથી ઉત્તેજિત થયેલે તે બધું ભૂલી
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy