SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता ૧૨. વિવેચન :- (૧) વસ્ત્રો આપવા, આસન પાથરવું.. વગેરેને “સત્કાર કહેવાય.. (૨) ઊભા થવું, સામે લેવા જવું, આગતા-સ્વાગતા કરવી.. એ બધાને ‘વંદન કહેવાય. (૩) પંચાંગ પ્રણિપાતપૂર્વક નમવું, ઝુકવું, વંદન કરવા.. તેને “નમસ્કાર કહેવાય.. (૪) સામેવાળામાં રહેલા વાસ્તવિક ગુણોની બહુમાનથી સ્તવના કરવી.. તેને “પૂજા' કહેવાય. (૫) પર્ષદા સમક્ષ મધુર ધ્વનિથી દેશના આપવી.. તેને “કથના' કહેવાય. પ્રસ્તુતમાં વાત એ જ કે – પ્રત્યેકબુદ્ધ અને ગૃહસ્થાવસ્થામાં કે અન્યલિંગાવસ્થામાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલ કેવલીએ જો સાધુનો વેષ સ્વીકાર્યો હોય, તો જ તેમને સત્કાર, વંદન વગેરે ચાર વસ્તુઓ થઈ શકે અને તો જ તેઓ દેશના આપી શકે.. (વેષ ન હોય તો ઇન્દ્ર વગેરે કોઈ તેને નમસ્કાર ન કરે – એવું હમણાં જ આગળ જણાવશે.). પ્રશ્ન:- વેષ વિના જ તે પ્રત્યેકબુદ્ધ વગેરે દેશના આપે તો? ઉત્તર- તો તે પ્રત્યેકબુદ્ધાદિ, છદ્મસ્થ પુરુષોને આદેય ન બને..(અર્થાત્ છમસ્થ પુરુષો તેની વાત ન સ્વીકારે.)આનું કારણ જણાવતાં પંચકલ્યભાષ્યની ચૂર્ણિમાં કહ્યું છે કે - જો સાધુનો વેષ પહેરીને દેશના આપે, તો તે લોકોમાં સંમત બને છે, (ફરહા=) અને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ જો સાધુનો વેષ વિના જ ગૃહસ્થના પહેરવેશે કે અન્યલિંગના પહેરવેશે દેશના આપે, તો તેમના વિશે છદ્મસ્થ લોકોને શ્રદ્ધા જ ન થાય. અને તેઓ આવું વિચારે કે – આના કહેવા મુજબ જો શ્રમણપણું જ શ્રેષ્ઠ હોય, તો આ પોતે કેમ શ્રમણપણારૂપ ધર્મને સ્વીકારતો નથી? પોતે ગૃહસ્થાવસ્થામાં જ કેમ રહ્યો છે? ઇત્યાદિ..” એટલે સાધુવેષમાં જ દેશના અપાય.. અને એ વેષ હોય, તો જવંદન-સત્કાર વગેરે થઈ શકે..(૨૩) (પંચકલ્પભાષ્ય શ્લોક-૧૪૬૨/૧૪૬૩, જીવાનુશાસન શ્લોક-૧૭૩) એ વાતને જણાવવા જ કહે છે - શ્લોકાર્ચ - ઈન્દ્ર વગેરે પણ દ્રવ્યલિંગને જોઈને વંદનાદિ કરે છે. તે લિંગ વિદ્યમાન ન હોય, તો જણાય નહીં કે - આ વિરત છે.(૪) વિવેચન - ઇન્દ્ર વગેરે પણ સામેવાળાએ સાધુનો વેષ પહેર્યો હોય, તો જ તેમને સત્કાર-વંદનાદિ કરે છે. અને સાધુવેષ વિના સામેવાળો કેવળજ્ઞાની હોય, તો પણ તેમને વંદનાદિ ન કરે.. આવશ્યકનિયુક્તિમાં ભરતમહારાજાના ચરિત્રમાં જણાવ્યું છે કે- “ગૃહસ્થાવસ્થામાં કેવલજ્ઞાની - *"एतेसिं पुण दव्वभावलिंगाणं दव्वलिंगे इमे गुणा भवंति - सक्कारिज्जइ इंदाइहिं केवलज्ञानोत्पत्तौ, कहितो य संमओ सलिंगेण । इहरहा गिहिलिगेण अन्नलिंगेण वा केवलनाणे वि उप्पन्ने कहयंतस्स छउमत्थो जणो न सद्दहइ - तुमं कीस મધુ ન જેf? ....... તં છ૩મન્થા રાખેવ ના છ ” – પ લ્પમાણે નો. ૨૪૬૨-તૂ I *"चिन्तन्तस्स अपुव्वकरणज्झाणमुवट्ठिअस्स केवलनाणं समुप्पण्णंति । सक्को देवराया आगओ भणति - दव्वलिंग पडिवज्जह, जाहे निक्खमणमहिमं करेमि, ततो पंचमुट्ठिओ लोओ कओ, देवयाए रओहरणपडिग्गहमादी उवगरणमुवणीअं, दसहिं रायसहस्सेहिं समं पव्वइओ। सेसा नव चक्किणो सहस्सपरिवारा निक्खंता, सक्केणं वंदिओ॥" आवश्यकनियुक्तिवृत्तौ સ્નો. કરૂદ્દ | - - - - - -
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy