SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता * માર્ગે જતાં ધૂસરી પ્રમાણ ભૂમિને જોયા વગર - ઈર્યાસમિતિના ઉપયોગ વિના ચાલે. * પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ - એ છકાય જીવોની નિઃશંકપણે વિરાધના કરે. (ઉપદેશમાલા શ્લોક-૩૬૦) તથા सव्वं थोवं उवहिं, न पेहए न य करेइ सज्झायं । सद्दकरो झंझकरो, लहुओ गणभेयतत्तिल्लो ।।३६१।। खित्ताईयं भुंजइ, कालाईयं तहेव अविदिनं । गिण्हइ अणुइयसूरे, असणाई अहव उवगरणं ।।३६२।। ठवणकुले न ठवेई, पासत्थेहिं च संगयं कुणइ । निच्चावज्झाणरओ, न य पेहपमज्जणासीलो ।।३६३।। रीयइ य दवदवाए, मूढो परिभवइ तहय रायणिए। परपरिवायं गिण्हइ, निट्ठरभासी विगहसीलो ॥३६४।। – ગુરગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચનઃ(૧૩) મુહપત્તિ વગેરે બધી કે થોડી પણ ઉપધિનું પડિલેહણ ન કરે.. * દિવસે પણ સ્વાધ્યાય ન કરે. * રાત્રે લોક સૂતું હોય ત્યારે મોટા શબ્દથી બોલે. * કલહ-કજીયો-ઝગડાઓ કરે.. (રાડો પાડવાનો પ્રેમી હોય.) * તુચ્છ પ્રકૃતિવાળો તે ગણભેદ (=ગચ્છમાં પરસ્પર ચિત્તભેદ) કરવામાં તત્પર રહે અથવા આમાં જ બે મુદ્દા વિચારવા (૧) અગંભીર હોય, અને (૨) ગણભેદ કરે.. (ઉપદેશમાલા શ્લોક૩૬૧) (૧૪) * ક્ષેત્રાતીત (=બે ગાઉ ઉપર વહોરેલા) આહાર-પાણી વાપરે.. * કાલાતીત (==ણ પ્રહર પૂર્વે વહોરેલા) આહારાદિ વાપરે.. * માલિકે અથવા ગુરુએ ન આપેલું વાપરે.. * સૂર્ય ઉગ્યા પહેલાં અશનાદિ કે ઉપકરણ વહોરે.. (આ રીતે વહોરવું જિનાજ્ઞાસંમત નથી.) (ઉપદેશમાલા શ્લોક-૩૬૨) (૧૫) * ખાસ પ્રયોજને આહારાદિ મેળવવા ગુરુએ સ્થાપી રાખેલા અને રોજના માટે ત્યાગ કરેલા શ્રીમંતના કે ભક્તના ઘરોને “સ્થાપનાકુલ' કહેવાય.. આવા સ્થાપનાકુલને સ્થાપી ન રાખે, અર્થાત્ એમાં નિષ્કારણ ગોચરીએ જાય.
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy