SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ બાદરનિગોદવ્યવહારિત્વ વિચાર <0 संगतिगन्धस्याप्यभावात् सूक्ष्मपृथिव्यादिजीवानां चाव्यवहारित्वं प्रज्ञापनावृत्त्यभिप्रायेण स्फुटमेव प्रतीयते, लोकदृष्टिपथमागतानामेव पृथिव्यादिजीवानां व्यवहारित्वभणनाद्, अन्यथा 'प्रत्येकशरीरिणो व्यावहारिकाः' इत्यैव वृत्तिकृदवक्ष्यत् । यच्च केवलं निगोदेभ्य उद्वृत्त्य पृथिवीकायिकादिभवेषु वर्त्तन्त इत्यादि भणितं, तत्सूक्ष्मपृथिव्यादिजीवानामसंख्येयत्वेनाल्पत्वाद्, अवश्यभाविव्यवहारित्वाद्वाऽविवक्षणादिति सम्भाव्यते, सम्यग्निश्चयस्तु बहुश्रुतगम्य इति । एवं चासांव्यवहारिका जीवाः सूक्ष्मपृथिव्यादिषु निगोदेषु च सर्वकालं गत्यागतीः कुर्वन्तीति सम्पन्नम्, इत्थं च तत्र येऽनादिसूक्ष्मनिगोदेभ्य उद्द्वृत्त्य शेषजीवेषूत्पद्यन्ते (ते) पृथिव्यादिविविधव्यवहारयोगात्सांव्यवहारिकाः, ये पुनरनादिकालादारभ्य सूक्ष्मनिगोदेष्वेवावतिष्ठन्ते (ते) तथाविधव्यवहारातीतत्वादसांव्यवहारिका ૫૫ છે. એ પાઠને અનુસરીને ‘સૂક્ષ્મ અને નિગોદ' એવો ઇતરેતરદ્વન્દ્વસમાસ કરવાથી આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. અર્થાત્ ‘સૂક્ષ્મજીવો અને નિગોદ અવ્યવહા૨ી છે.’ એ વાત એ વૃત્તિગ્રન્થથી પણ સિદ્ધ થઈ જ જાય છે. “અરે, આ રીતે સમાસવિગ્રહ કરી બાદરનિગોદને પણ અવ્યવહારી સિદ્ધ કરવા જતાં તો સૂક્ષ્મપૃથ્વીકાયાદિ પણ અવ્યવહા૨ી હોવા સિદ્ધ થઈ જશે જે આગમમાં કે પરંપરામાં ન જોએલી ને ન જાણેલી જ વાત છે.” આવી શંકા કરવી નહિ, કેમકે સૂક્ષ્મપૃથ્વીકાય વગેરે જીવો પણ અવ્યવહારી છે એ પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિના અભિપ્રાય મુજબ સ્પષ્ટ રીતે જણાય જ છે, કેમકે એમાં, લોકદૃષ્ટિમાં આવતા પૃથ્વીકાયાદિજીવોને જ વ્યવહારી કહ્યા છે, જ્યારે સૂક્ષ્મપૃથ્વીકાયાદિ જીવો તો આંખ વગેરે કોઈ ઇન્દ્રિયનો વિષય બનતા ન હોવાથી છેદન-ભેદન-ઉપભોગાદિ લોકવ્યવહારમાં આવતા જ નથી એ ઉભય સંમત છે. બાકી એ સૂક્ષ્મપૃથ્વીકાયાદિને વ્યવહા૨ી જ માનવા હોત તો વૃત્તિકાર ‘લોકદૃષ્ટિમાં આવતા...” ઇત્યાદિ ન કહેતાં ‘પ્રત્યેક શરીરી જીવો વ્યવહારી છે.’ એમ જ ન કહેત ? શંકા ઃ ‘સૂક્ષ્મપૃથ્વીકાયાદિ જીવો પણ અવ્યવહારી છે.' આવો તમારો અભિપ્રાય છે. શાસ્ત્રકારોનાં મનમાં પણ જો આવો જ અભિપ્રાય હોત તો તેઓએ અવ્યવહારીમાંથી વ્યવહારી બનતા જીવને અંગે “એ નિગોદમાંથી નીકળીને પૃથ્વીકાયાદિ ભવોમાં જાય છે” ઇત્યાદિ જે કહ્યું તેના બદલે “એ સૂક્ષ્મપૃથ્વીકાયાદિમાંથી અને નિગોદમાંથી નીકળીને...” ઇત્યાદિ જ ન કહેત ? સમાધાન ઃ માત્ર ‘નિગોદમાંથી નીકળીને' ઇત્યાદિ જે કહ્યું છે એમાં “સૂક્ષ્મપૃથ્વીકાયાદિ જીવો બધા મળીને પણ અસંખ્ય જ હોય છે જે નિગોદના અનંતજીવોની અપેક્ષા એ અત્યંત અલ્પ છે” એ કારણે અથવા તો “એ જીવો ભવિષ્યમાં અવશ્ય વ્યવહારી થવાના હોવાના’’ કારણે અહીં વિવક્ષાયા નથી એવી સંભાવના લાગે છે. એનો યથાર્થ નિશ્ચય તો બહુશ્રુતો જ કરી શકે છે. આમ અસાંવ્યવહારિક જીવો સૂક્ષ્મપૃથ્વીકાયાદિમાં અને નિગોદોમાં હંમેશાં ગમનાગમન કર્યા કરે છે એ વાત નક્કી થઈ. માટે નિષ્કર્ષ એ આવ્યો કે જેઓ અનાદિ સૂક્ષ્મ-નિગોદમાંથી નીકળીને શેષજીવોમાં ઉત્પન્ન થાય છે તેઓ પૃથ્વીકાય વગેરે વિવિધ વ્યવહારનો વિષય બનવાથી સાંવ્યવહારિક છે જ્યારે જેઓ અનાદિકાળથી સૂક્ષ્મનિગોદમાં
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy