SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કિલ્બિષિકપણાં અંગે જ હોય, અનંત ભવ અંગે નહિ, (કેમ કે આગળ કહી ગયા તે મુજબ ભગવતી પરથી અનંતભવ સિદ્ધ થઈ શકતાં નથી.) એવું માનવું અમને યોગ્ય લાગે છે. અથવા ત્યાં બીજો જ કોઈ સુંદર અભિપ્રાય હશે, પણ કુવિકલ્પોની પરંપરા ચલાવી ગ્રંથકર્થના કરવી એ યોગ્ય નથી. | (કેવલીમાં દ્રવ્યહિંસા વિચાર ભાગ-૨, પૃ. ૧થી૪). કેવલીયોગનિમિત્તક હિંસાને અનુકૂલ જે હિંસ્ય જીવનું કર્મ તેના વિપાકપ્રયુક્ત હિંસા કેવલીયોગથી થતી હોય તો એને કોણ અટકાવી શકે ? માટે કેવલીને પણ અશક્યપરિહારરૂપ દ્રવ્યહિંસા હોય છે. પૂ. આ રીતે તો બધાના યોગથી થતી હિંસાને અશક્ય પરિહારરૂપ કહેવી પડશે. ઉ.અનાભોગ-પ્રમાદાદિ-કારણ ઘટિત સામગ્રીજન્ય હિંસાને આભોગાદિથી અટકાવી શકાય છે, માટે એ શક્યપરિહાર છે. યોગમાત્રજન્ય હિંસાને યોગનિરોધ વગર અટકાવી શકાતી નથી. માટે સયોગીને અશક્યપરિહાર છે. (કેવલી પ્રયત્નવિચાર પૃ.-૪-૧૫) પૂ.૦ એ હિંસા વખતે કેવલી જીવરક્ષાનો પ્રયત્ન કરે કે નહિ? જો ન કરે તો અસંયત બની જાય. જો કરે છે તો એ પ્રયત્નને નિષ્ફળ માનવો પડે, પણ એ સંભવતું નથી, કારણ કે વીર્યન્તરાય ક્ષીણ થઈ ગયું છે. ઉ.૦ સર્વ જીવોના હિતના ઉદ્દેશથી થયેલ વાફ પ્રયત્ન ભારેકર્મીનું હિત કરી શકતો નથી, એટલા માત્રથી શું એને નિષ્ફળ કહેવાય? પૂ.૦ એ પ્રયત્ન અધિકૃત લઘુકર્મી જીવો અંગે સફળ છે, જ્યારે અશક્યપરિહારવાળો જીવો અંગેનો રક્ષાપ્રયત્ન તો સર્વથા નિષ્ફળ જ હોય છે. ઉ.૭ સુધાપરિષહવિજયનો પ્રયત્ન હોવા છતાં સુધા લાગે છે, તેમ છતાં માગચ્યવનાદિરૂપે એ સફળ કહેવાય છે, તેમ પ્રસ્તુતમાં જાણવું. પૂ.૦ સાધુના યોગથી, સંસારજનનરૂપ હિંસાફળથી શૂન્ય જે દ્રવ્યહિંસા થઈ જાય છે. તેને જણાવનાર ઓઘનિર્યુક્તિના અધિકારમાં વૃત્તિકારે કહ્યું છે કે “ ર પ્રયત્ન સુર્વતાર ક્ષતું પારિતઃ' જીવરક્ષાના ઉપાયનો અનાભોગ હોય તો જ છતે પ્રયત્ન જીવરક્ષા થતી નથી. એટલે જણાય છે કે અનાભોગ કેવલીનો અહીં અધિકાર નથી, તેમજ તેઓના યોગથી આવી હિંસા થતી નથી. ઉ.૦જીવરક્ષા માટે કેવલી પણ જે ઉલ્લંઘનાદિ કરે છે તે જ જીવરક્ષાના ઉપાયભૂત છે અને તેનો તો ગીતાર્થને અનાભોગ હોતો નથી. તે હિંસા થવામાં અનાભોગ જવાબદાર છે જે કેવલીને
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy