SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૫ ૧૪૭૭ ટીકા : यैरप्यात्मस्वभावो धर्म इत्युच्यते, तेषां यदि घटादिस्वभावो घटत्वादिधर्म इतिवदात्मत्वादिरनादिः पारिणामिको भाव आत्मधर्म इति मतं, तदाऽनादित्वेनापुरुषार्थत्वापत्तिः, यदि तु स्वः स्वकीयोऽनागन्तुको अनुपाधिर्भावो-धर्म इति, तदा वर्तमानः स्वकीयः शुभः परिणाम ऋजुसूत्रविषयः स जिनपूजाया-मप्यक्षत इति कथं न तत्र निश्चयशुद्धो धर्मः । शब्दनयेन सामायिकवद् देशविरतानां धर्मो नेष्यत इति चेत् ? किं तावता समभिरूढेन षष्ठगुणस्थानेऽप्यनभ्युपगमात् । ટીકાર્ચ - ચેરણાત્મસ્વમાવો ..... પુરુષાર્થત્વાપત્તિ:, જેઓ વડે પણ આત્મસ્વભાવ એ ધર્મ' એ પ્રમાણે કહેવાય છે, તેઓને જો ઘટાદિસ્વભાવ ઘટતાદિ ધર્મ છે, એની જેમ ‘આત્મત્વાદિ અનાદિ પારિણામિકભાવ આત્મધર્મ છે એ પ્રમાણે માન્ય છે; તો અનાદિપણું હોવાને કારણે=આત્મવાદિ ધર્મનું અનાદિપણું હોવાને કારણે, અપુરુષાર્થપણાની આપત્તિ છે=આત્મધર્મ પ્રગટ કરવા માટે પ્રયત્નની આવશ્યકતા નહિ હોવાથી ધર્મને અપુરુષાર્થ સ્વીકારવાની આપત્તિ છે. રિ તુ .... થી . વળી જો સ્વસ્વકીય અવાગંતુક અનુપાધિ ભાવ=ધર્મ છે, એ પ્રમાણે છે (અભિમત છે) તો વર્તમાન એવો સ્વકીય શુભ પરિણામ ઋજુસૂત્રનો વિષય છે, તે જિનપૂજામાં પણ અક્ષત છે. એથી કરીને કેવી રીતે ત્યાં જિનપૂજામાં, નિશ્ચયશુદ્ધ ધર્મ નથી ? અર્થત જિનપૂજામાં નિશ્ચયશુદ્ધ ધર્મ છે. શનિવેર .... કનષ્ણુપમન્ | શબ્દનયથી સામાયિકની જેમ દેશવિરતોને ધર્મ ઇચ્છાતો નથી, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – તેટલાથી શું ?=શબ્દનય દેશવિરતોને ધર્મ ન સ્વીકારે તેટલાથી શું? કેમ કે સમભિરૂઢ વડે છઠ્ઠા ગુણસ્થાનકમાં પણ અનબ્યુપગમ છે=ધર્મનો અસ્વીકાર છે. ભાવાર્થ - પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ઉપયોગરૂપ ભાવગ્રાહક નિશ્ચયનયથી દ્રવ્યસ્તવકાળમાં પણ શુદ્ધ ધર્મ છે. ત્યાં કોઈ પ્રશ્ન કરે કે સ્વનો ભાવ તે સ્વભાવ કહેવાય અને તે જ ધર્મ કહી શકાય, અન્ય ધર્મ કહી શકાય નહિ; અને સ્વનો ભાવ ચારિત્રમાં છે, દ્રવ્યસ્તવમાં નથી. માટે દ્રવ્યસ્તવમાં ધર્મ સ્વીકારી શકાય નહિ, પરંતુ આત્માના શુદ્ધ ભાવમાં અવસ્થાન પામતા ચારિત્રમાં જ ધર્મ સ્વીકારી શકાય. તેને ગ્રંથકારશ્રી પૂછે છે – | સ્વભાવનો અર્થ સ્વનો ભાવ તે સ્વભાવ, તેમ કહીને સ્વભાવને ધર્મ કહેવામાં આવે તો, જેમ ઘટાદિમાં ઘટતાદિ ધર્મ છે તેમ આત્મામાં આત્મવાદિ ધર્મ અનાદિપારિણામિકભાવરૂપ છે, માટે તેને ધર્મ સ્વીકારવામાં
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy